બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ

બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ

બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગની જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, મતદાર વિભાગનો સભ્યની ચૂંટણી યોજાનાર છે. સને ૧૯૬૩ નાં ગુજરાત નગરપાલીકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમ-૬ હેઠળની ચૂંટણી નોટીસ સંબંધિત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે નગરપાલિકા મતદાર વિભાગનાં સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમનાં નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન,બીજો માળ,ચીખલી,તા.ચીખલી,જી.નવસારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ગણદેવી, મામલતદાર ચેમ્બર, તાલુકા સેવા સદન, ગણદેવી, તા ગણદેવી, જી.નવસારી ખાતે મોડામાં મોડું તા.૦૧/૦૨/૨૦૨૫ સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાનાં દિવસ સિવાય) સવારે ૧૦-૩૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.

નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી,પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન, બીજો માળ, ચીખલી, તા.ચીખલી, જી.નવસારી ખાતે તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ, ઉપર જણાવેલ અધિકારીઓ માંથી ગમે તે અધિકારીને તેમની કચેરીમાં તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ બપોરનાં ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે.ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) નાં રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી થશે.

ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધી નામાંકન પત્ર ભરી શકાશે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *