બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ

બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ

બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગની જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, મતદાર વિભાગનો સભ્યની ચૂંટણી યોજાનાર છે. સને ૧૯૬૩ નાં ગુજરાત નગરપાલીકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમ-૬ હેઠળની ચૂંટણી નોટીસ સંબંધિત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે નગરપાલિકા મતદાર વિભાગનાં સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમનાં નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન,બીજો માળ,ચીખલી,તા.ચીખલી,જી.નવસારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ગણદેવી, મામલતદાર ચેમ્બર, તાલુકા સેવા સદન, ગણદેવી, તા ગણદેવી, જી.નવસારી ખાતે મોડામાં મોડું તા.૦૧/૦૨/૨૦૨૫ સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાનાં દિવસ સિવાય) સવારે ૧૦-૩૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.

નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી,પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન, બીજો માળ, ચીખલી, તા.ચીખલી, જી.નવસારી ખાતે તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ, ઉપર જણાવેલ અધિકારીઓ માંથી ગમે તે અધિકારીને તેમની કચેરીમાં તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ બપોરનાં ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે.ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) નાં રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી થશે.

ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધી નામાંકન પત્ર ભરી શકાશે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *