બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ

બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ

બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગની જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, મતદાર વિભાગનો સભ્યની ચૂંટણી યોજાનાર છે. સને ૧૯૬૩ નાં ગુજરાત નગરપાલીકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમ-૬ હેઠળની ચૂંટણી નોટીસ સંબંધિત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે નગરપાલિકા મતદાર વિભાગનાં સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમનાં નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન,બીજો માળ,ચીખલી,તા.ચીખલી,જી.નવસારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ગણદેવી, મામલતદાર ચેમ્બર, તાલુકા સેવા સદન, ગણદેવી, તા ગણદેવી, જી.નવસારી ખાતે મોડામાં મોડું તા.૦૧/૦૨/૨૦૨૫ સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાનાં દિવસ સિવાય) સવારે ૧૦-૩૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.

નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી,પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન, બીજો માળ, ચીખલી, તા.ચીખલી, જી.નવસારી ખાતે તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ, ઉપર જણાવેલ અધિકારીઓ માંથી ગમે તે અધિકારીને તેમની કચેરીમાં તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ બપોરનાં ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે.ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) નાં રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી થશે.

ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધી નામાંકન પત્ર ભરી શકાશે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *