ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા-૨૦૨૫ અન્વયે વિદ્યાર્થીઓ માટે સુચારુ માર્ગદર્શન
- Uncategorized
- February 26, 2025
- No Comment
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર (Hall Ticket) માં દર્શાવેલ વિષય, તારીખ, સમય અને જે તે વિષયની પરીક્ષા માટે ફળવાયેલ પરીક્ષા સ્થળ (Examination Building)ના લોકેશનની જાણકારી મેળવી લેવી. પરીક્ષાના અગાઉના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય ૨-૩૦ કલાકથી ૫-૦૦ કલાક દરમિયાન પરીક્ષાખંડ જોઈ લેવો.પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહી. પ્રવેશપત્ર (Hall Ticket)માં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસસ્થાન વચ્ચેનું અંતર અને મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પહોંચવાનું સુનિશ્વિત કરી લેશો.
પ્રવેશપત્ર (Hall Ticket)માં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવું. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના ૨૦ મિનિટ અગાઉ હાજર રહેવું.
ધોરણ-૧૦ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો ૮૦ ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રોનો સમય ૧૦-૦૦ થી ૧૦-૧૫ કલાક વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા ૧૦-૦૦ થી ૧૦-૧૫ કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે. વોકેશનલ કોર્સના વિષયના પ્રશ્નપત્રો 30 (ત્રીસ) ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રનો સમય ૧૦-૦૦ થી ૧૦-૧૫ કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા ૧૦-૦૦ થી ૧૦-૧૫ કલાક સુધી ઉત્તરો લખવા માટેનો રહેશે.

સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉતર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારો માટે જે પ્રશ્નપત્રો ૧૦૦ ગુણના છે તે માટે કુલ સમય ૩ કલાક ૧૫ મિનિટનો સમય ઉત્તરવહી પરની વિગતો અને જવાબો લખવા માટે મળશે.
સવારના સેશન માટે- ધોરણ-૧૦ માટે સવારનું સેશન ૧૦-૩૦ થી ૧-૩૦ કલાકનું રહેશે. સવારે ૧૦-૩૦ થી ૧૦-૪૫ દરમિયાન ઉત્તરવહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે. ૧૦-૪૫ થી ૧-૪૫ કલાક દરમ્યાન ઉત્તરવહીમા ઉત્તરો લખવા માટેનો રહેશે બપોરના સેશન માટે તેમજ ધોરણ-૧૨ માટે બપોરનું સેશન ૩-૦૦ થી ૬-૧૫ નું રહેશે. ૩-૦૦ થી ૩-૧૫ દરમિયાન ઉત્તરવહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે. ૩-૧૫ થી ૬-૧૫ દરમિયાન ઉત્તરવહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (૧૪૬) વિષયની પરીક્ષાનો સમય ૩-૦૦ થી ૫-૧૫ નો રહેશે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર અધ્યયન (૩૩૧) વિષયની સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય ૩-૦૦ થી ૫-૧૫ નો રહેશે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રના વોકેશનલ કોર્ષના વિષયોની પરીક્ષાનો સમય ૩-૦૦ થી ૪-૧૫ નો રહેશે.
વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઉમેદવારો માટે-પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) ૫૦ પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ ૫૦ તથા તેનો સમયગાળો ૬૦ મિનિટનો રહેશે. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં બપોરે ૩-૦૦ થી ૩-૧૫ નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A અને PART-B ના વાંચન માટે આપવામાં આવશે. જ્યારે ૩-૧૫ થી ૪-૧૫ OMR માં PART-A ના જવાબો લખવા માટે આપવામાં આવશે. સાંજે ૪-૧૫ થી ૪-૩૦ દરમિયાન PART-A ની OMR એકત્રિત કરવા તથા PART-B માટે. ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનો રહેશે. સાંજે ૪-૩૦ થી ૬-૩૦ નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. ૬-૩૦ કલાકે પરીક્ષા પૂર્ણ થશે.

પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો -પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બૂટ-મોજાં ના પહેરવા અને જો કોઈ પરીક્ષાર્થી બૂટ-મોજાં પહેરીને આવેલ હોય તો તેઓએ પરીક્ષાખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે. ધોરણ-૧૦ પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટરના ઉપયોગ કરી શકશે નહીં, કે પરીક્ષાખંડમાં લઈ જઈ શકશે નહીં. ધોરણ-૧૨ના પરીક્ષાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. કોઈપણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
પરીક્ષા સ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર,સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો ન લઈ જઈએ. ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહિ તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતાં પહેલાં કરી લઈએ. OMR ઉત્તરપત્રિકામાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ.