વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારી જિલ્લા ખાતે આગમન ને લઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારી જિલ્લા ખાતે આગમન ને લઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું

આગામી ૮મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારીમાં સૂચિત કાર્યક્રમના પગલે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે કાર્યક્રમ સ્થળ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ નારી શક્તિ સંમેલન યોજાવાનું છે. જેમાં દક્ષિણ ગુજરાતની નારી શક્તિ સહભાગી બનશે.ખાસ કરીને સરકારની વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લાની લખપતિ દીદીઓ સાથે સંવાદનું પણ સંભવિત આયોજન છે.

ત્યારે, આ સૂચિત કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષ સહિતના સભ્યોને સાથે રાખીને સ્થળ પર ચાલતી તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટરે હેલિપેડ તેમજ સ્ટેજ સહિતના સ્થળની મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા. તેમજ તૈયારીઓને આખરી ઓપ આપવા અંગે સૂચનો સહ માર્ગદર્શન આપ્યું હતું.જાત નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સ્થળ પર જ તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

આ નિરીક્ષણ સહ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *