નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્વિત કરવા વહિવટી તંત્રને જરૂરી રચનાત્મક સુચનો કર્યા: નવસારી,વલસાડ, ડાંગના કલેક્ટર,ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા

આગામી 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનની અધ્યક્ષસ્થાને યોજનાર લખપતિ દીદી કાર્યક્રમ સંદર્ભે સચિવશ્રી પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સ્થળ વાંસી-બોરસી ખાતે તૈયારીઓને લગતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સચિવ મનીષા ચંદ્રાએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામા પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્વિત કરવા વહિવટી તંત્રને જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા. તેમણે ત્રણેય જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓને પોતાને સોંપવામાં આવેલી કામગીરીઓને સારી રીતે પુરી કરવા સુચન કર્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમની રૂપરેખા સહીત વ્યવસ્થાઓ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, લાભાર્થીઓ, સાઉન્ડ સિસ્ટમ, ડોમની ડીઝાઇન, બેઠક વ્યવસ્થા, પાર્કિગ, ફુડ પેકેટ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, હેલીપેડ, સ્ટેજ ઉપરની આનુસાંગિક વ્યવસ્થાઓ,પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન વગેરે અંગેની તૈયારીઓની ઝીણવટપુર્વક માહિતીથી સચિવને અવગત કર્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમને અનુસંધાને બનાવેલ વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ દ્વારા પોતાની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.મનીષા ચંદ્રા એ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને કાર્યક્રમ સ્થળનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.આ બેઠકમાં નવસારી જિલ્લા સહિત વલસાડ અને ડાંગ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *