તા.૮ મી માર્ચ પ્રધાનમંત્રીના વાંસી-બોરસી ખાતેના કાર્યક્રમ અન્વયે કાયદો/વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરનામું બહાર પડાયું

તા.૮ મી માર્ચ પ્રધાનમંત્રીના વાંસી-બોરસી ખાતેના કાર્યક્રમ અન્વયે કાયદો/વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરનામું બહાર પડાયું

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ આત્મનિર્ભરતાથી આત્મસન્માન–લખપતી દીદી વંદના કાર્યક્રમમાં માન.વડાપ્રધાન તેમજ ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી/મંત્રીઓ રાજયના ઉચ્ચકક્ષાના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેનાર હોઇ અને ઉપરોકત મહાનુભાવો ઝેડ પ્લસ કેટેગરી સુરક્ષા કવચ તેમજ એસ.પી.જી.સુરક્ષા ધરાવતા હોઇ અને કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે જરૂરી છે.

જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા માન. વડાપ્રધાન ના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના તા.૦૮/૦૩/૨૦૨૫ ના કાર્યક્રમ દરમિયાન જાહેર સલામતી સુરક્ષા જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર તા.૦૬/૦૩/૨૦૨૫ થી તા૦૮/૦૩/૨૦૨૫ સુધી નવસારી જિલ્લામાં જમીનથી આકાશ તરફ તુકકલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટીક તેમજ અમુક કલરના કપડા હાથમાં લઇ ફરકાવવા/ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૦૬/૦૩/૨૦૨૫ થી તા.૦૮/૦૩/૨૦૨૫ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ -૨૨૩ હેઠળ બિન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *