જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા

માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તા.૮ મી માર્ચના રોજ જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે “આત્મનિર્ભરતાથી આત્મસન્માન-લખપતી દીદી વંદના” કાર્યક્રમને અનુલક્ષીને, નવસારી જિલ્લા પ્રશાસને કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવા સાથે, કેટલાક વિસ્તારોને પ્રતિબંધિત કરી વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે.

જેને અનુલક્ષીને નિવાસી અધિક કલેકટર યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૭-૦૦ વાગ્યા ૨૪-૦૦ વાગ્યા સુધી વન-વે રસ્તા તથા વૈકલ્પિક રૂટ જાહેર કરાયાં છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ મોટા-ભારે વાહનો માટે પ્રતિબંધ તથા વૈકલ્પિક રૂટ જાહેર કરાયાં છે

જે અન્વયે ને.હા.નં ૪૮ પરથી ધોળાપીપળાથી કસ્બા સર્કલ થઈ મરોલી ચાર રસ્તાથી સચિન-સુરત તરફથી આવતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે ને.હા.નં ૪૮ પરથી ધોળાપીપળા ઓવરબ્રિજ ઉપરથી વેસ્મા ઓવરબ્રિજ ઉપરથી પલસાણા ચાર રસ્તા થઈ સુરત તરફ જઈ શકાશે. ને.હા.નં ૪૮ પરથી વેસ્મા ચાર રસ્તાથી મરોલી ચાર રસ્તાથી સચિન-સુરત જતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે ને.હા.નં ૪૮ થઈ વેસ્માથી ઓવરબ્રિજ ઉપરથી પલસાણા ચાર રસ્તા થઈ સુરત તરફ જઈ શકાશે.નવસારી શહેરથી વિરાવળ થઈ કસ્બા મરોલીથી સચિન-સુરત તરફ જતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે નવસારી શહેરથી વિરાવાળ કસ્બાથી ધોળાપીપળા ચાર રસ્તા થઈ ને.હા.૪૮ થઇ સુરત તરફ જઈ શકાશે.

આ ઉપરાંત મરોલી રેલ્વે ઓવરબ્રિજનો રસ્તો કાર્યક્રમ શરુ થતા પહેલા પૂર્વથી પશ્ચિમ તરફ વન વે રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે ઉભરાટ તરફથી આવતા વાહનો નડોદ થઈ પોંસરા ગરનાળુ વાડગામ થઈ સુરત તથા નવસારી તરફ જશે. મરોલી રેલ્વે ઓવરબ્રીજ નીચેથી રાજા રોડ થઈ કડોલી અને છીણમ થઈ સુરત તથા નવસારી તરફ જઈ શકાશે .

મરોલી રેલ્વે ઓવરબ્રિજનો રસ્તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પશ્ચિમથી પૂર્વથી તરફ વન વે રહેશે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે મરોલી ચાર રસ્તાથી કોલાસણા, કડોલી ગરનાળુ થઈ મરોલી તરફ આવી શકશે. મરોલી ચાર રસ્તાથી માણેકપોર ટંકોલી થઈ સાગરા- ઓવરબ્રિજ થઈ મરોલી ઉભરાટ જઈ શકાશે.

મરોલી પોલીસ સ્ટેશનથી ઉભરાટ તરફ નો ટુ લેન રોડ પૂર્વથી પશ્રિમ તરફનો રોડ બસ સિવાયના અન્ય વાહનો જઇ શકશે નહિ. ફોર વ્હીલર માટે વૈકલ્પિક રૂટ ઉભરાટ થી મરોલી આવતો ટુ લેન રોડ પશ્ચિમથી પૂર્વથી તરફનો રોડ જેમાં ડિવાઇડર પાસેના ટ્રેકનો ઉપયોગ ફોર વ્હીલર વાહન ચાલકો મરોલી પોલીસ સ્ટેશનથી ઉભરાટ તરફ જવા માટે ઉપયોગ કરી શકાશે અને ઉભરાટ તરફથી આવતા વાહનો બીજા ટ્રેક ઉપરથી મરોલી આવી શકાશે.

આ હુકમનો ભંગ કે અનાદર કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *