નવસારી નગર રચના યોજના : દબાણ હટાવાની કાર્યવાહીથી 500 થી વધુ પરિવારો પર ખતરો, અસરગ્રસ્તોની મહાનગર પાલિકામાં રજૂઆત

નવસારી નગર રચના યોજના : દબાણ હટાવાની કાર્યવાહીથી 500 થી વધુ પરિવારો પર ખતરો, અસરગ્રસ્તોની મહાનગર પાલિકામાં રજૂઆત

નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અમલમાં લાવવામાં આવેલી નગર રચના યોજના હવે સામાન્ય જનતાની ચિંતા તથા અસ્વસ્થતાનું કારણ બની રહી છે. વિશેષ કરીને વોર્ડ નં. 13 ખાતે દશેરા ટેકરીના હોળી મોહલ્લાથી લઈ તીઘરાના અલીફ નગર સુધીના વિસ્તારોમાં આવેલા નવસારી શહેરમાં છેલ્લા 150 વર્ષથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યો છે.

વર્ષોથી આદિવાસી સમાજના લોકો સરકારી જમીન,કબજાવાળી જમીન કે ભાડાની જગ્યામાં રહે છે. તાજેતરના અનુભવો દર્શાવે છે કે ટીપી સ્કીમ (ટાઉન પ્લાનિંગ સ્કીમ)ના અમલમાં આદિવાસી સમાજના આશરે 500 મકાનોને દબાણ જણાવીને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ ફટકારાતા શ્રમિક વર્ગમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ વિસ્તારોમાં વસવાટ કરતા મોટા ભાગના લોકો આદિવાસી તથા ગરીબ વર્ગના હોવાથી આજે આદિવાસી જન જાગૃતિ સમિતિ તેમજ પૂર્વ નગરસેવકોની આગેવાનીમાં અસરગ્રસ્તોએ મહાનગર પાલિકા કચેરી ખાતે પહોંચી કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ઘરના બદલામાં ઘર આપવામાં આવે અને ત્યાં સુધી કોઈપણ કામગીરીના અમલ પહેલાં વૈકલ્પિક વસવાટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠાવવામાં આવી છે.

વિજલપોર નગરપાલિકા સમયે તૈયાર થયેલી નગર રચના યોજના અંતર્ગત દશેરા ટેકરીથી તીઘરાના અલીફ નગર સુધીના વિસ્તારોમાં માર્ગને પહોળો કરવાની યોજના છે. જેની અમલવારી માટે બંને તરફ દબાણમાં આવેલી મિલકતોને હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરંતુ આ કારણે વર્ષોથી વસવાટ કરતા શ્રમિક અને ગરીબ લોકો પર ઘરના ગુમાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

આજરોજ રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશ્નર ગૌરાંગ વાસાણી અને કમિશ્નર દેવ ચૌધરીએ અસરગ્રસ્તોની રજૂઆત સાંભળી હતી. ડે. કમિશ્નરે સરકારી આવાસ યોજનાના માધ્યમથી તેમને ઘર આપવા માટે તૈયારી દર્શાવી હતી.સાથે સાથે તત્કાલ નોટીસના અમલ મુદ્દે હમણાં કોઈ ત્વરિત કાર્યવાહી નહીં થાય એવો આશ્વાસન પણ આપ્યું હતું.

મુખ્ય પડકારો:

આદિવાસી હિતોની અવગણના: ટીપી સ્કીમમાં વસવાટ કરતા આદિવાસી પરિવારોના મકાનો અને રહેણાંક વિસ્તારોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી.

જમીન માલિકીના પુરાવાની અછત: કાયદાકીય દસ્તાવેજોની અભાવના ના કારણે આદિવાસી પરિવારો પોતાનું હક સાબિત કરવામાં અસક્ષમ બને છે.

વિસ્થાપનથી થતી અસર: વિસ્થાપનથી આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ અને જીવનશૈલી ખતરામાં મૂકાય છે.

નવસારી મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને આદિવાસી સમાજની ન્યાયસંગત માંગણીઓ:

આદિવાસી હિતનું રક્ષણ: ઓરિજનલ પ્લોટ, સરકારી જમીન અથવા ભાડાના આધારે રહેતા પરિવારોને ત્યાં જ સુરક્ષિત રહેઠાણ સુનિશ્ચિત કરવું. વિકાસ યોજના ઘડતી વખતે આદિવાસી વિસ્તારોને અકબંધ રાખવા માટે ધ્યેયઘટિત યોજના બનાવવી.

વિસ્થાપન વિના વિકાસ: આદિવાસી પરિવારોને તેમના મૂળ રહેઠાણમાંથી વિસ્થાપિત ન કરવાની યોજના ઘડવી. “ઘરના સામે ઘર” ધોરણ હેઠળ પૂરતું પુનઃસ્થાપન કરવામાં આવે.

તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા: જો વિસ્થાપન અનિવાર્ય બને, તો તેમને નવસારી શહેરની હદમાં જ યોગ્ય વૈકલ્પિક વસવાટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.

• કાયદાકીય સુરક્ષા: ભવિષ્યમાં આદિવાસી હિતોને નુકસાન ન થાય તે માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.

આદિવાસી સમાજનું યોગદાન:

આદિવાસી સમાજે સદીઓથી દેશ અને શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનો સાંસ્કૃતિક વારસો, જીવનશૈલી અને સામાજિક હિતોની રક્ષા કરવી, દરેક તંત્ર અને નાગરિકની સામૂહિક જવાબદારી છે.સ્થાનિક આદિવાસી અને નાગરિકોમાટે તાત્કાલિક નવસારી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય અને સમયસર પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.

આજે આવેદનપત્ર આપી સ્થાનિક આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા તાત્કાલિક રજુઆત કરવામાં આવી છે.હવે નવસારી મહાનગરપાલિકાના નિર્ણય અને અસરકારક કાર્યવાહી પર સૌની નજર છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *