સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ

સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરી પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું, જેનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગણદેવી વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સાવચેતીના પગલાં હાથ ધર્યા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરીને એક પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું. આ ઘટના આમલી ફળીયામાં બની હતી, જેને પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

https://youtu.be/SsVBOYwBAic?si=xhrlNyfbnkkoLj1r

ઘટનાની જાણ થતાં જ ગણદેવી વનવિભાગના આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે સ્થાનિકોને શાંતિ જાળવવા, ઘરની બહાર ખાસ કરીને રાત્રિ સમયે ન રહેવા તથા સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ, દીપડાને પકડવા માટે તાત્કાલિક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ગણદેવા ગામમાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ નવસારી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓ નોંધાઈ છે. જંગલ અને વસાહતના નજીક હોવાને કારણે આવી ઘટનાઓ વધતી જાય છે, જેને લઈ સ્થાનિકોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહે છે.

વનવિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની જંગલી પ્રાણીઓની હરકતો જોવામાં આવે તો તરત જ સંબંધિત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે. જે યોગ્ય પગલાંઓ લઈ શકાય

આ ઘટના ફરી એકવાર લોકોને પ્રકૃતિ અને જંગલી જીવજંતુઓ પ્રત્યે વધુ જવાબદારી સાથે વ્યવહાર કરવા માટે ચેતવી રહી છે. માણસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવું આજના સમયમાં મહત્વપૂર્ણ બની ગયું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *