સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ

સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરી પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું, જેનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગણદેવી વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સાવચેતીના પગલાં હાથ ધર્યા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરીને એક પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું. આ ઘટના આમલી ફળીયામાં બની હતી, જેને પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

https://youtu.be/SsVBOYwBAic?si=xhrlNyfbnkkoLj1r

ઘટનાની જાણ થતાં જ ગણદેવી વનવિભાગના આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે સ્થાનિકોને શાંતિ જાળવવા, ઘરની બહાર ખાસ કરીને રાત્રિ સમયે ન રહેવા તથા સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ, દીપડાને પકડવા માટે તાત્કાલિક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ગણદેવા ગામમાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ નવસારી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓ નોંધાઈ છે. જંગલ અને વસાહતના નજીક હોવાને કારણે આવી ઘટનાઓ વધતી જાય છે, જેને લઈ સ્થાનિકોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહે છે.

વનવિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની જંગલી પ્રાણીઓની હરકતો જોવામાં આવે તો તરત જ સંબંધિત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે. જે યોગ્ય પગલાંઓ લઈ શકાય

આ ઘટના ફરી એકવાર લોકોને પ્રકૃતિ અને જંગલી જીવજંતુઓ પ્રત્યે વધુ જવાબદારી સાથે વ્યવહાર કરવા માટે ચેતવી રહી છે. માણસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવું આજના સમયમાં મહત્વપૂર્ણ બની ગયું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *