સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ

સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરી પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું, જેનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગણદેવી વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સાવચેતીના પગલાં હાથ ધર્યા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરીને એક પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું. આ ઘટના આમલી ફળીયામાં બની હતી, જેને પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

https://youtu.be/SsVBOYwBAic?si=xhrlNyfbnkkoLj1r

ઘટનાની જાણ થતાં જ ગણદેવી વનવિભાગના આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે સ્થાનિકોને શાંતિ જાળવવા, ઘરની બહાર ખાસ કરીને રાત્રિ સમયે ન રહેવા તથા સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ, દીપડાને પકડવા માટે તાત્કાલિક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ગણદેવા ગામમાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ નવસારી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓ નોંધાઈ છે. જંગલ અને વસાહતના નજીક હોવાને કારણે આવી ઘટનાઓ વધતી જાય છે, જેને લઈ સ્થાનિકોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહે છે.

વનવિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની જંગલી પ્રાણીઓની હરકતો જોવામાં આવે તો તરત જ સંબંધિત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે. જે યોગ્ય પગલાંઓ લઈ શકાય

આ ઘટના ફરી એકવાર લોકોને પ્રકૃતિ અને જંગલી જીવજંતુઓ પ્રત્યે વધુ જવાબદારી સાથે વ્યવહાર કરવા માટે ચેતવી રહી છે. માણસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવું આજના સમયમાં મહત્વપૂર્ણ બની ગયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *