નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા

નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા

નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આજે એક ઈકો વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મુખ્ય રસ્તા નજીક પાર્ક કરેલી વાનમાં અગ્મ્યકારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

https://youtu.be/nHyWb_Q5q7s?si=y2JQJBuNYaxP_FQ7

નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં એક ઈકો વાનમાં આગ લાગી હતી. મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી વાનમાં અગ્મયકારણો સર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળ પાસે આવેલી નર્સરીના પ્રિન્સિપાલને ઘટનાની જાણ થતાં તેમના તત્પર અને સમજદારીભર્યા પગલાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ વધુ પ્રસરી હોત, તો બાળકોના જીવનને પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું.સદનસીબે કોઈ નુકસાન થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર,નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. પાર્ક કરેલી ઈકોમાં આગ લાગી હતી. વાનમાં એ સમયે એક મહિલા અને બે બાળકો હાજર હતા, તેઓ ઝડપથી બહાર આવી જતાં કોઈ જાનહાની થવા ન પામી હતી.વાહન માલિકે તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશર વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ વધુ હોવાથી તે નિષ્ફળ રહ્યો હતો.

આ ઘટનાની જાણ ફાયર વિભાગને તાત્કાલીક કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.નવસારી ફાયર વિભાગના કર્મચારી જણાવ્યા મુજબ આગનો કોલ મળતાં તરત પહોંચી ગયા હતાં.આગને કારણે વાનને મોટું નુકસાન થયું છે, તેમ છતાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી, જે રાહતની વાત છે.

આ મામલે નવસારી ફાયર વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગનો કોલ મળતા તાત્કાલિક અમે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. આગને કારણે વાન મોટું નુકસાન થવા પામ્યું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *