નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા

નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા

નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આજે એક ઈકો વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મુખ્ય રસ્તા નજીક પાર્ક કરેલી વાનમાં અગ્મ્યકારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

https://youtu.be/nHyWb_Q5q7s?si=y2JQJBuNYaxP_FQ7

નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં એક ઈકો વાનમાં આગ લાગી હતી. મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી વાનમાં અગ્મયકારણો સર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળ પાસે આવેલી નર્સરીના પ્રિન્સિપાલને ઘટનાની જાણ થતાં તેમના તત્પર અને સમજદારીભર્યા પગલાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ વધુ પ્રસરી હોત, તો બાળકોના જીવનને પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું.સદનસીબે કોઈ નુકસાન થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર,નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. પાર્ક કરેલી ઈકોમાં આગ લાગી હતી. વાનમાં એ સમયે એક મહિલા અને બે બાળકો હાજર હતા, તેઓ ઝડપથી બહાર આવી જતાં કોઈ જાનહાની થવા ન પામી હતી.વાહન માલિકે તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશર વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ વધુ હોવાથી તે નિષ્ફળ રહ્યો હતો.

આ ઘટનાની જાણ ફાયર વિભાગને તાત્કાલીક કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.નવસારી ફાયર વિભાગના કર્મચારી જણાવ્યા મુજબ આગનો કોલ મળતાં તરત પહોંચી ગયા હતાં.આગને કારણે વાનને મોટું નુકસાન થયું છે, તેમ છતાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી, જે રાહતની વાત છે.

આ મામલે નવસારી ફાયર વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગનો કોલ મળતા તાત્કાલિક અમે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. આગને કારણે વાન મોટું નુકસાન થવા પામ્યું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *