નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા

નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા

નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આજે એક ઈકો વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મુખ્ય રસ્તા નજીક પાર્ક કરેલી વાનમાં અગ્મ્યકારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

https://youtu.be/nHyWb_Q5q7s?si=y2JQJBuNYaxP_FQ7

નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં એક ઈકો વાનમાં આગ લાગી હતી. મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી વાનમાં અગ્મયકારણો સર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળ પાસે આવેલી નર્સરીના પ્રિન્સિપાલને ઘટનાની જાણ થતાં તેમના તત્પર અને સમજદારીભર્યા પગલાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ વધુ પ્રસરી હોત, તો બાળકોના જીવનને પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું.સદનસીબે કોઈ નુકસાન થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર,નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. પાર્ક કરેલી ઈકોમાં આગ લાગી હતી. વાનમાં એ સમયે એક મહિલા અને બે બાળકો હાજર હતા, તેઓ ઝડપથી બહાર આવી જતાં કોઈ જાનહાની થવા ન પામી હતી.વાહન માલિકે તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશર વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ વધુ હોવાથી તે નિષ્ફળ રહ્યો હતો.

આ ઘટનાની જાણ ફાયર વિભાગને તાત્કાલીક કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.નવસારી ફાયર વિભાગના કર્મચારી જણાવ્યા મુજબ આગનો કોલ મળતાં તરત પહોંચી ગયા હતાં.આગને કારણે વાનને મોટું નુકસાન થયું છે, તેમ છતાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી, જે રાહતની વાત છે.

આ મામલે નવસારી ફાયર વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગનો કોલ મળતા તાત્કાલિક અમે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. આગને કારણે વાન મોટું નુકસાન થવા પામ્યું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *