નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને નવસારી મહાનગરપાલિકા કમીશ્નર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના અધ્યક્ષ દેવ ચૌધરીએ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા, ગ્રામ્ય અને તાલુકા કક્ષાની તકેદારી સમિતિની ભૂમિકા તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઈ-કેવાયસી અંગે ચર્ચા-સમીક્ષા કરી હતી. અને નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે જે બાબતે સમિતિના તમામ સભ્યોનો સહયોગ લઈ કામગીરી કરવાનું સૂચન તથા માર્ગદર્શન આપ્યું હતું .

જિલ્લા પુરવઠા અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા નાગરિક પુરવઠાની બેઠકમાં નવસારી જિલ્લામાં એપ્રિલ- ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ સુધીમાં જિલ્લાકક્ષાએ થી વાજબી ભાવની દુકાનની કુલ-૧૪૧,બિનપરવાનેદારોની-૭૪,ગેસ એજન્સીઓ-૪૨, ગોડાઉન-૩૨, પેટ્રોલપંપ-૮૧ તપાસણી કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *