નવસારીમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયું: જમાલપોર વિસ્તારમાં જેસીબી સાથે પહોંચી મહાપાલિકા, 80 ફૂટનો રોડ બનાવવા દુકાન-મકાનો તોડ્યા,દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો

નવસારીમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયું: જમાલપોર વિસ્તારમાં જેસીબી સાથે પહોંચી મહાપાલિકા, 80 ફૂટનો રોડ બનાવવા દુકાન-મકાનો તોડ્યા,દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો

નવસારીના જમાલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન વિવાદ થતા, કામગીરી હાલ સ્થગિત કરાઈ

નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જમાલપુર વિસ્તારમાં દુકાનો તથા મકાનો દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તીઘરા જકાત નાકાથી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ગ અને મકાન વિભાગે મહાનગરપાલિકા પાસેથી સહયોગ માંગ્યો હતો.

જેસિબી મશીનની મદદથી દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ થયું હતું. જોકે, દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો હતો, જ્યારે સ્થાનિક રહીશોએ આરોપ મૂક્યો કે દબાણ હટાવવાની કામગીરી નિયમ મુજબ 12 મીટરની જગ્યાએ 15 મીટર સુધી કરવામાં આવી છે.જેના કારણે લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. આના પરિણામે બપોર બાદ સ્થાનિકોએ કાર્યનો ભારે વિરોધ કર્યો અને કામગીરી રોકી દીધી હતી.

https://youtu.be/hphZpSupgxg?si=_7SAGt1DTHEDrZDY

ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક દબાણ વિભાગે કામગીરી બંધ કરી પરિસ્થિતિ વધુ બગડે નહીં એ દ્રષ્ટીએ દબાણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરી દીધી અને સમગ્ર ઘટનાની જાણ ડેપ્યુટી કમિશનરને કરાઈ હતી. આ બાબતની માહિતી મળતાં જ સર્વે એન્જિનિયર સહિતનો અધિકારીવર્ગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિનો તટસ્થ અંદાજ લીધો હતો.અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *