નવસારીમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયું: જમાલપોર વિસ્તારમાં જેસીબી સાથે પહોંચી મહાપાલિકા, 80 ફૂટનો રોડ બનાવવા દુકાન-મકાનો તોડ્યા,દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો

નવસારીમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયું: જમાલપોર વિસ્તારમાં જેસીબી સાથે પહોંચી મહાપાલિકા, 80 ફૂટનો રોડ બનાવવા દુકાન-મકાનો તોડ્યા,દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો

નવસારીના જમાલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન વિવાદ થતા, કામગીરી હાલ સ્થગિત કરાઈ

નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જમાલપુર વિસ્તારમાં દુકાનો તથા મકાનો દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તીઘરા જકાત નાકાથી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ગ અને મકાન વિભાગે મહાનગરપાલિકા પાસેથી સહયોગ માંગ્યો હતો.

જેસિબી મશીનની મદદથી દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ થયું હતું. જોકે, દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો હતો, જ્યારે સ્થાનિક રહીશોએ આરોપ મૂક્યો કે દબાણ હટાવવાની કામગીરી નિયમ મુજબ 12 મીટરની જગ્યાએ 15 મીટર સુધી કરવામાં આવી છે.જેના કારણે લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. આના પરિણામે બપોર બાદ સ્થાનિકોએ કાર્યનો ભારે વિરોધ કર્યો અને કામગીરી રોકી દીધી હતી.

https://youtu.be/hphZpSupgxg?si=_7SAGt1DTHEDrZDY

ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક દબાણ વિભાગે કામગીરી બંધ કરી પરિસ્થિતિ વધુ બગડે નહીં એ દ્રષ્ટીએ દબાણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરી દીધી અને સમગ્ર ઘટનાની જાણ ડેપ્યુટી કમિશનરને કરાઈ હતી. આ બાબતની માહિતી મળતાં જ સર્વે એન્જિનિયર સહિતનો અધિકારીવર્ગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિનો તટસ્થ અંદાજ લીધો હતો.અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *