“મમતા મંદિર” વિજલપોર ખાતે દિવ્યાંગ બાળકો માટે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો

“મમતા મંદિર” વિજલપોર ખાતે દિવ્યાંગ બાળકો માટે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો

નવસારીના જાણીતા ડૉ.અંકિત દેસાઈના નેતૃત્વ હેઠળ “મમતા મંદિર” કેમ્પસ, વિજલપોર, નવસારી ખાતે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓના મૂક બુધ્ધિ તથા અન્ય દિવ્યાંગ બાળકો માટે વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન ૬ ડૉક્ટર, ૧૦ નર્સ અને ૪ સેવકોની ટીમ દ્વારા સંસ્થાના કુલ ૩૩૧ બાળકોના દાંતની તપાસ કરવામાં આવી હતી. દાંતમાં તકલીફ જણાય તેવા બાળકોને જરૂરી દવાઓ અને ડેન્ટલ કીટ આપવામાં આવી હતી, તથા દંતસાંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગંભીર તકલીફ ધરાવતાં વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં વધુ સારવાર માટે ડેન્ટલ કેર સેન્ટર પર રિફર જરૂરી ચિકિત્સા પુરી પાડવામાં આવશે.

ડૉ. અંકિત દેસાઈ તથા તેમની સમ્રગ ટીમ દ્વારા દિવ્યાંગો પ્રત્યે દાખવેલ માનવતા અને આપેલ સેવા માટે “મમતા મંદિર”ના ટ્રસ્ટીગણ અને શાળાના સ્ટાફે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને કારણે સેન્સેક્સ 1,539 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ તૂટી પડ્યો

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને…

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વને સંપૂર્ણ યુદ્ધમાં ધકેલી દીધું છે. મોટા હુમલાઓએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *