નવસારી શહેરમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી: મનપાનું બુલડોઝર નવસારી સુરત રોડ પર ફરી વળ્યું

નવસારી શહેરમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી: મનપાનું બુલડોઝર નવસારી સુરત રોડ પર ફરી વળ્યું

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી છે. અગાઉ છાપરા રોડ, સ્ટેશન રોડ અને જમાલપોર વિસ્તારમાં ડીમોલિશન હાથ ધરાયા બાદ હવે ટાટા સ્કૂલથી સુરત તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકારોને નોટિસો પાઠવી દેવામાં આવી હતી. દબાણો જાતે દૂર ન કરાતા આજે  મનપાનું બુલડોઝર ફરી એકવાર દબાણ હટાવા માટે મેદાને ઉતર્યું છે.

મહાપાલિકા દ્વારા “શહેરની ટ્રાફિક વ્યવસ્થા તથા જાહેર માર્ગોની વ્યવસ્થિતતાને ધ્યાને લઈ દબાણો દૂર કરવાની કાર્યવાહી અમલમાં લાવવામાં આવી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ ઉપરના બિનકાયદેસર દબાણોને કારણે નાગરિકોને મોટું હાલાકી વેઠવી પડી રહી હતી. મનપાની આ કાર્યવાહીથી જનતા પણ હળવા શ્વાસ લેશે તેવી સંભાવના છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *