નવસારી શહેરમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી: મનપાનું બુલડોઝર નવસારી સુરત રોડ પર ફરી વળ્યું
- Local News
- May 22, 2025
- No Comment
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી છે. અગાઉ છાપરા રોડ, સ્ટેશન રોડ અને જમાલપોર વિસ્તારમાં ડીમોલિશન હાથ ધરાયા બાદ હવે ટાટા સ્કૂલથી સુરત તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકારોને નોટિસો પાઠવી દેવામાં આવી હતી. દબાણો જાતે દૂર ન કરાતા આજે મનપાનું બુલડોઝર ફરી એકવાર દબાણ હટાવા માટે મેદાને ઉતર્યું છે.

મહાપાલિકા દ્વારા “શહેરની ટ્રાફિક વ્યવસ્થા તથા જાહેર માર્ગોની વ્યવસ્થિતતાને ધ્યાને લઈ દબાણો દૂર કરવાની કાર્યવાહી અમલમાં લાવવામાં આવી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ ઉપરના બિનકાયદેસર દબાણોને કારણે નાગરિકોને મોટું હાલાકી વેઠવી પડી રહી હતી. મનપાની આ કાર્યવાહીથી જનતા પણ હળવા શ્વાસ લેશે તેવી સંભાવના છે.