૩૪ વર્ષથી નાસતા-ફરતો નોકર ચોર એવા આરોપીને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો

૩૪ વર્ષથી નાસતા-ફરતો નોકર ચોર એવા આરોપીને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો

રાજ્યભરમાં મહા પોલીસ મહાનિર્દેશક (સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગાંધીનગર) દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી.ના સીનીયર પીઆઈ વી.જે. જાડેજાની સુકાનીમાં અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વર્ણ ઉકેલાય ગંભીર ગુનાઓ કેસોના ડેટા એકત્રીત કરી પીઆઈ ડી.એમ. રાઠોડની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા ખાનગી બાતમીના આધારે નવસારી ટાઉન પો.સ્ટે. ગુ.ર. નં. 38/1991, IPC કલમ 381 અને 114 મુજબ નોકર ચોર એવા આરોપી ઘોલારામ વિશ્નોઈના રાજસ્થાનના નેનાવા ગામમાં હોવાની માહિતી મળી હતી.

https://youtube.com/shorts/FuP86giKZzc?si=vz-Ajj35dtEntXcj

નવસારી એલસીબીની ટીમે સ્થાનિક પહેરવેશ ધારણ કરી ચાર દિવસ સુધી તપાસ બાદ આરોપી ઘોલારામ ઉર્ફે હેમતાજી લાદુરામ વિશ્નોઈ (ઉ.વ. ૬૨), લાછીવાડ ગામ, બિશ્નોઈની ધાણી, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાનને નવસારી શહેરમાં વર્ષ 1990-91માં નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હિરા 80000 તથા 30000 રોકડ મળી કુલે રૂ. 1,10,000ની નોકરી ચોરીના ચકચારી ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૩૪ વર્ષથી નાસતા-ફરતા રહેલા આરોપી ઘોલારામ ઉર્ફે હેમતાજી લાદુરામ વિશ્નોઈને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર આરોપીને તારીખ ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ઝડપી પાડી નવસારી લાવવામાં આવ્યો છે.નવસારી એલસીબી ટીમે નોકર એવા ચોરી પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સારી કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:

સીનિયર PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PI આર.એસ. ગોહિલ,PI ડી.એમ. રાઠોડPSI વાય.જી. ગઢવી,ASI સુનિલસિંહ દેવિસિંહ,HC દિગ્વિજયસિંહ રવજીભાઈ,PC સંદિપભાઈ પીઠાભાઈ

34 વર્ષથી નાસ્તો ફરતો નોકર ચોર એવો ગુનેગાર આખરે કાયદાની પકડમાં: નવસારી શહેરમાં વર્ષ 1990-91 વર્ષમાં નવસારી શહેરમાં 80000 હીરા તથા 30000 રોકડા મળી કુલે 110000 ચોરી કરનાર પોલીસના હાથે ઝડપાયો

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *