વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ માટે ગુરુકુલ વિદ્યામંદિર, સૂપાની અનોખી પહેલ

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ માટે ગુરુકુલ વિદ્યામંદિર, સૂપાની અનોખી પહેલ

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના અનુસંધાનમાં, ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ના સંકલ્પ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે તમામ કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. ૨૨ મે ૨૦૨૫થી ૫ જૂન ૨૦૨૫ સુધી વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે. ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ ફેલાવવાના હેતુસર ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા ખાતે આ અભિયાન હેઠળ રોજિંદી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શ્રેણીની અંદર, આજરોજ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુરુકુલ પરિવારના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ મળીને “પ્લાસ્ટિક મુક્ત ગુરુકુલ”નું સ્વપ્ન સાકાર કરવા પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દરમિયાન “End Plastic Pollution at the Global Level” જેવી વૈશ્વિક થીમને અનુરૂપ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકત્રિત કરેલા જથ્થાનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ નદીના કિનારાની સફાઈ, બજારમાં કપડાના થેલાના ઉપયોગ માટે જાગૃતિ, તેમજ પેકેજ્ડ ફૂડ અને પાણીની બોટલ માટે વિકલ્પોની માહિતગાર પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

આ સમગ્ર કાર્યક્રમશ્રેણીની પૂર્ણાહુતિ પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ સમારોહ રૂપે કરવામાં આવશે. ત્યાર સુધી દરરોજ અલગ અલગ સંદેશાવાહક પ્રવૃત્તિઓ તેમજ જાગૃતિના કાર્યક્રમો થકી સમગ્ર ગુરુકુલ કેમ્પસમાં પર્યાવરણ માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ડૉ. ચંદ્રગુપ્ત, આશ્રમ અધ્યક્ષ સુરેશભાઈ રત્નાણી તથા માધ્યમિક શાળાના આચાર્ય પરેશ દેસાઈએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય પરેશ દેસાઈએ જણાવ્યું કે, “આ અભિયાન એક દિવસ પૂરતું ન રહી જાય તે માટે ગુરુકુલ ભવિષ્યમાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પ્લાસ્ટિક વિરોધી જાગૃતિ ફેલાવશે.”

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુલના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને સમગ્ર અભિયાન માટે શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ દ્વારા પણ ગુરુકુલના પ્રયાસોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.આવનાર પેઢી માટે શુદ્ધ અને સ્વસ્થ પર્યાવરણ રચવાના મક્કમ ઇરાદાથી ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા – એક દ્રઢ સંકલ્પ સાથે ‘પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ’ તરફ આગળ વધી રહ્યું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *