બીલીમોરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ જાગૃતિ રેલી: “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” અભિયાન અંતર્ગત વોકાથોન, સાયકલાથોન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

બીલીમોરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ જાગૃતિ રેલી: “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” અભિયાન અંતર્ગત વોકાથોન, સાયકલાથોન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” અભિયાન અંતર્ગત વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, કોલેજ બીલીમોરા ખાતે જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના આયોજન અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવસારી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે બીલીમોરા વિભાગ કેળવણી મંડળના સહયોગથી યોજાયો હતો.

વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, બીલીમોરા ખાતે આ કાર્યક્રમના ભાગરૂપે વોકાથોન, સાયકલાથોન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કેમ્પસમાંથી રેલીનો પ્રારંભ થયો હતો જેમાં પર્યાવરણ આધારિત વેશભૂષા અને ટેબલો પ્રદર્શન પણ સમાવિષ્ટ હતા. રેલી રાજભોગ સર્કલ, બીલીમોરા સુધી ચાલી અને ત્યારબાદ પુનઃ કોલેજ કેમ્પસમાં સમાપન થયું હતું.

આ કાર્યક્રમે પર્યાવરણ જાગૃતિના પ્રયાસોને બળ પૂરું પાડ્યું હતું સાથે વિશ્વ પર્યાવરણ દિનને હેતુભૂત બનાવતો આ કાર્યક્રમ યુવાનોમાં પર્યાવરણપ્રતિ હકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે સફળતાપૂર્વક પાર પાડી શકાયો હતો.

કાર્યક્રમનું સંચાલન અને આયોજન નવસારી જિલ્લા રમત અધિકારી અલ્પેશભાઈ પટેલ, ડી.વાય.ડી.ઓ. શ્રીમતી અંજુબેન પરમાર તથા મેજર ડો. ભાવેશ દેવતાએ કુશળતાપૂર્વક સંભાળ્યું હતું.

આ પ્રસંગે ગણદેવી તાલુકાના મામલતદાર બીલીમોરા વિભાગ કેળવણી મંડળના ચેરમેન ભરતભાઈ અમીન, આસિસ્ટન્ટ ટી.ડી.ઓ. મનીષભાઈ પટેલ, સબ લેફ્ટનન્ટ નેવી ડો. સોનલ વસાવા, શ્રીમતી મનીષા દેવતા તેમજ બીલીમોરા પોલીસ સ્ટેશન અને નગરપાલિકાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *