“માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો”:નવસારીમાં 45 વર્ષ જૂના શોપિંગ સેન્ટરને લઈને મહાનગરપાલિકાની તાત્કાલિક કાર્યવાહી જુઓ વિડિઓ

“માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો”:નવસારીમાં 45 વર્ષ જૂના શોપિંગ સેન્ટરને લઈને મહાનગરપાલિકાની તાત્કાલિક કાર્યવાહી જુઓ વિડિઓ

ગંભીરા પુલ અકસ્માત પછી તંત્ર હવે સુરક્ષા મુદ્દે કોઇપણ રિસ્ક લેતા તૈયાર નથી. જેના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાએ શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલા 45 વર્ષ જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરની 337 દુકાનો માત્ર ત્રણ કલાકમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને અનેક દુકાનદારો કમિશનર કચેરીએ પહોંચીને રજૂઆત કરી છે.

https://youtu.be/mP0SEljoT3M?si=wsnmYlcJwb60Hylp

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મૌખિક સૂચના આપી છે કે આ શોપિંગ સેન્ટર હાલ જર્જરિત છે અને કોઇપણ સમયે દુર્ઘટના સર્જાઇ શકે છે.શહેરી સુરક્ષા માટે શોપિંગ સેન્ટરની 337 જૂની દુકાનો ખાલી કરાવવાનો તાત્કાલિક આદેશ અપાયો.વેપારીઓમાં ફફડાટ,કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

 

 

સ્થાનિક વેપારીઓને જણાવ્યા અનુસાર, આ દુકાનો છેલ્લા ચારથી પાંચ દાયકાથી ધમધમતી આવી છે, પરંતુ કાયમી જતન નહીં થવાને લીધે સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે.પાલિકા તંત્રનો દાવો છે કે શહેરમાં શોપિંગ સેન્ટર જે સ્થિતિ છે.

તેમાં મોટી દુર્ઘટના ટાળવા માટે અગમચેતીના પગલા લેવા ફરજિયાત બન્યા છે. આ શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં કોઈપણ સમયે કોઈ અનિચ્છનીય ધટના ન બને તે કારણે શહેરીજનોની સુરક્ષા ધ્યાને રાખી પગલાં લેવાનું નક્કી કરાયું છે.

 

 

 

દુકાનદારોની માંગણી:

• તાત્કાલિક નોટિસ નહિ આપીને,ઓછામાં ઓછો સમયગાળો આપવામાં આવે

• દુકાનો ખાલી કરાવવા પૂર્વે રિપેર કે અલ્ટરનેટ પ્લાન આપવો

• દુકાનદારોના ધંધાના નુકસાન માટે વળતરની વ્યવસ્થા

 

શહેરીજનોનો પ્રતિસાદ: આ નિર્ણય અંગે નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાકે તેને આગમચેતી માટે યોગ્ય ગણાવ્યો છે, જ્યારે કેટલાકે વેપારીઓની મુશ્કેલી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

આગામી પગલાં: મહાનગર પાલિકા હવે સમગ્ર શહેરમાં આવેલાં તમામ જૂના શોપિંગ સેન્ટર,મકાનો તેમજ દુકાનો સર્વે હાથ ધરવાનું આયોજન કરી રહી છે, જેથી આવનારા દિવસોમાં આવા વધુ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *