નવસારીને હરીયાળુ બનાવવા:સામાજીક વનીકરણ વિભાગ દ્વારા મિયાવાકી પદ્ધતિથી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સાથ અને સહકારથી 5100 રોપાનું વાવેતર કરાયું

નવસારીને હરીયાળુ બનાવવા:સામાજીક વનીકરણ વિભાગ દ્વારા મિયાવાકી પદ્ધતિથી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સાથ અને સહકારથી 5100 રોપાનું વાવેતર કરાયું

નવસારી સામાજિક વનીકરણ વિભાગ અને શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરત દ્વારા સંયુક્ત ઉપક્રમે મિયાવાકી પદ્ધતિથી 5100 વૃક્ષોના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પહેલ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નિમળાઈ ગામે આવેલી ગીતાવાટિકા ખાતે અમલમાં આવી હતી.

https://youtube.com/shorts/fks_ynn64EU?si=Rj7FBnwNpJW-VxHa

આ અભિયાન ‘એક પેડ મા કે નામ 2.0’ અંતર્ગત યોજાયું છે, જેના મુખ્ય ઉદ્દેશમાં જનભાગીદારીથી જંગલ બહારના વિસ્તારોમાં હરિયાળી વધારવી છે.આ કાર્યક્રમ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલનામાર્ગદર્શન હેઠળ તથા સામાજિક વનીકરણ રેંજ સુપાના આયોજન હેઠળ યોજાયો હતો

વૃક્ષ વંદના કાર્યક્રમ દરમિયાન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલ,વન વિભાગના સ્ટાફ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ રામકૃષ્ણ એક્સપોર્ટના કર્મચારીઓ અને તેમના પરિવારો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આવી સંયુક્ત પહેલ થકી વૃક્ષોત્પત્તિ વધારી પર્યાવરણીય સંતુલન વધારવામાં સકારાત્મક પગલું સાબિત થશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *