વન્યજીવ રક્ષાના વિરલ વીરોને રાજ્યનું નમન:’વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી’ સહીત ૨૫ જેટલી સંસ્થાઓને સન્માનિત કરાયા 

વન્યજીવ રક્ષાના વિરલ વીરોને રાજ્યનું નમન:’વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી’ સહીત ૨૫ જેટલી સંસ્થાઓને સન્માનિત કરાયા 

વન્યજીવ બચાવ માટે જીવન અર્પનાર નવસારીના ચિંતન મહેતાને આઝાદીના પર્વે માન અપાયું

ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ૭૯ માં વર્ષની ઉજવણી નિમિત્તે આરણ્ય ભવન, ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી વન્યજીવ સંરક્ષણ કાર્યકરો તથા સંસ્થાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલ કુલ ૨૫ સંસ્થાઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ડો. એ.પી. સિંહે ખાસ હાજરી આપી હતી અને વન્યજીવ બચાવ તેમજ સંવર્ધન ક્ષેત્રે કામગીરી કરનાર સંસ્થાઓના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી.

નવસારીમાં કાર્યરત ‘વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી ચિંતન મહેતા દ્વારા વન્યજીવોના બચાવ અને સંરક્ષણ માટે દાયકાથી પણ વધુ સમયથી કરવામાં આવેલી નિષ્ઠાપૂર્વકની સેવા અને જાગૃતિ કાર્યક્રમોને માન્યતા આપતા તેમને ખાસ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું .

આ સન્માનથી ટ્રસ્ટના તમામ સભ્યો, બચાવ કાર્યકરો અને વન્યપ્રેમી સ્વયંસેવકોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વન્યજીવ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગો, NGO પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ ગુજરાત રાજ્યની વન્યજીવો પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા જનસહભાગી પ્રયત્નોની દૃઢતા દર્શાવે છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *