મધુરજળ યોજનામાં સમારકામ પગલે નવસારી નગરજનો બે દિવસ પાણી કાપ માટે તૈયાર થઈ જાવ

મધુરજળ યોજનામાં સમારકામ પગલે નવસારી નગરજનો બે દિવસ પાણી કાપ માટે તૈયાર થઈ જાવ

નવસારી શહેર માં ભર ઉનાળે શહેરીજનોએ આગામી બે દિવસ માટે પાણી કાપ માટે તૈયાર રહેવું પડશે દુધિયા તળાવ વોટર વર્કસ ખાતે ખરાબી આવતા સમારકામ જરૂરિયાત ઉભી થવા પામી છે.

જેથી નવસારી-વિજલપોર નગરપાલિકાના મેઈન વોટરવર્કસ
દુધિયા તળાવ સ્થિત 30 એમલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શહેરને પાણી પુરવઠો આપવામાં આવે છે. જ્યાં ટેકનિકલ હાઈસ્કૂલ થી રામજી મંદિર તરફ રોડ ઉપર આવેલા વોટરવર્ક્સ પાસે લાંબા સમયબાદ મેઈન્ટેનસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી 2 દિવસ માટે શહેરીજનોએ પાણીની તકલીફ વેઠવા પડશે.
30 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ફિલ્ટર બેડને વોશ આપવા માટે બેકવોશ ટાંકીની મેઈન 450 એમએસની લાઇન તૂટી જતા રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ લાઈન છેલ્લા 22 વર્ષથી કાર્યરત હતી. આ માટેની એજન્સી દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાય છે. આ લાઈન રિપેર કરવા મેઈન વોટરવર્કસ14 અને 15 માર્ચ એમ બે દિવસ બંધ રાખવું પડે એમ હોવાથી શહેરને આ 2 દિવસ એક ટાઇમ ઓછા દબાણે પાણી મળશે.
જેથી શહેરીજનોએ પાણીનો ઉપયોગ કરકસૂરયુક્ત કરવા અને બગાડ નહીં કરવા,બચાવ કરવા તેમજ બે દિવસ સાથ અને સહકાર આપવા નગરજનોને વિનંતી કરવામાં આવી છે.


નગરવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં અને તે પણ પૂરતા દબાણથી પાણી મળે તે માટેની નગરપાલિકાના સત્તાધીશો શક્ય તેટલી વહેલી ઝડપભેર કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
શહેરીજનોને અગવડ ન પડે તે હેતુથી જ એક ટાઇમ પાણી આપવાની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. બે દિવસમાં રિપેરીંગ કાર્ય પૂર્ણ કરી રાબેતા મુજબ પાણી વ્યવસ્થા શરૂ કરાશે. તેવું નવસારી વિજલપોર નગરપાલિકાના વોટરવર્કસ ચેરમેન પ્રશાંત દેસાઈ જણાવી રહ્યા છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *