મધુરજળ યોજનામાં સમારકામ પગલે નવસારી નગરજનો બે દિવસ પાણી કાપ માટે તૈયાર થઈ જાવ

મધુરજળ યોજનામાં સમારકામ પગલે નવસારી નગરજનો બે દિવસ પાણી કાપ માટે તૈયાર થઈ જાવ

નવસારી શહેર માં ભર ઉનાળે શહેરીજનોએ આગામી બે દિવસ માટે પાણી કાપ માટે તૈયાર રહેવું પડશે દુધિયા તળાવ વોટર વર્કસ ખાતે ખરાબી આવતા સમારકામ જરૂરિયાત ઉભી થવા પામી છે.

જેથી નવસારી-વિજલપોર નગરપાલિકાના મેઈન વોટરવર્કસ
દુધિયા તળાવ સ્થિત 30 એમલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શહેરને પાણી પુરવઠો આપવામાં આવે છે. જ્યાં ટેકનિકલ હાઈસ્કૂલ થી રામજી મંદિર તરફ રોડ ઉપર આવેલા વોટરવર્ક્સ પાસે લાંબા સમયબાદ મેઈન્ટેનસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી 2 દિવસ માટે શહેરીજનોએ પાણીની તકલીફ વેઠવા પડશે.
30 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ફિલ્ટર બેડને વોશ આપવા માટે બેકવોશ ટાંકીની મેઈન 450 એમએસની લાઇન તૂટી જતા રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ લાઈન છેલ્લા 22 વર્ષથી કાર્યરત હતી. આ માટેની એજન્સી દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાય છે. આ લાઈન રિપેર કરવા મેઈન વોટરવર્કસ14 અને 15 માર્ચ એમ બે દિવસ બંધ રાખવું પડે એમ હોવાથી શહેરને આ 2 દિવસ એક ટાઇમ ઓછા દબાણે પાણી મળશે.
જેથી શહેરીજનોએ પાણીનો ઉપયોગ કરકસૂરયુક્ત કરવા અને બગાડ નહીં કરવા,બચાવ કરવા તેમજ બે દિવસ સાથ અને સહકાર આપવા નગરજનોને વિનંતી કરવામાં આવી છે.


નગરવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં અને તે પણ પૂરતા દબાણથી પાણી મળે તે માટેની નગરપાલિકાના સત્તાધીશો શક્ય તેટલી વહેલી ઝડપભેર કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
શહેરીજનોને અગવડ ન પડે તે હેતુથી જ એક ટાઇમ પાણી આપવાની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. બે દિવસમાં રિપેરીંગ કાર્ય પૂર્ણ કરી રાબેતા મુજબ પાણી વ્યવસ્થા શરૂ કરાશે. તેવું નવસારી વિજલપોર નગરપાલિકાના વોટરવર્કસ ચેરમેન પ્રશાંત દેસાઈ જણાવી રહ્યા છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *