સેવા માટે આંતરરાષ્ટ્રીય લોકપ્રિય સ્વ.મહેશ કોઠારી નું મમતા મંદિર સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશે છે

સેવા માટે આંતરરાષ્ટ્રીય લોકપ્રિય સ્વ.મહેશ કોઠારી નું મમતા મંદિર સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશે છે

સ્વ. મહેશભાઈ કોઠારી ની માવજત અને પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ અને સખાવતીઓના સથવારે ચાલતી આ સંસ્થા દિવ્યાંગ જગતમાં વિશ્વના નકશે કંડારાયેલી છે.

50 વર્ષ અગાઉ અલગારી સેવક એવા સર્વોદય કાર્યકર અને મજુર નેતા મહેશભાઈ સવજીભાઈ કોઠારીએ મૂંગા બહેરા બાળકોને ઉછેરવાનું જતન કરવા અને સ્વાવલંબી બનાવવાનું સપનું સાકાર કરવા આજીવન પરિણીત રહેવા સાથે અનોખી સેવાનું ભગીરથ બીડું ઝડપ્યું હતું.

જે દિવ્યાંગ મૂંગા બહેરા કે મંદબુદ્ધિ બાળકો અને અંધ બાળકો ને પોતાના મા બાપ સાચવી નથી શકતા અને પરિવારને ભાગરૂપ લાગે છે તેવા માટે પોતાના દિલ દિમાગ અને ખભે ઉપાડી લઈ મહેશભાઈ કોઠારીએ બીડું ઝડપ્યું હતું.

૫૦ વર્ષ અગાઉ દિવ્યાંગ બાળકો ઉછેરવાનું તેમજ સ્વાવલંબન બનાવવાનું સ્વપ્નને સાકાર કરનાર સ્વ.મહેશભાઈ સવજીભાઈ કોઠારી

મમતા મંદિર દ્વારા મુકબધીર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા શિવા રી માળ ખાતે અંધજન શાળા અને પુનર્વસન કેન્દ્ર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના અર્ધ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહેલી સુવર્ણ જયંતી મહોત્સવના આયોજન કરતી મમતા મંદિરની એક પત્રકાર પરિષદ મમતા મંદિર વિજલપોર ખાતે યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદમાં મમતા મંદિરના પ્રમુખ જાણીતા સમાજસેવક વલસાડના ભરતભાઈ દેસાઈ રૂપે ધનંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ન શક્યા હતા જ્યારે સંસ્થાના સક્રિય ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ગીરીરાજ સુંદર રીતે સંચાલન કરતા મહામંત્રી મુન્નો કોઠારી ઉમદા જન સેવક જયપ્રકાશ મહેતા એ ઉપસ્થિત રહી સંસ્થાના બીજથી વૃક્ષ સુધીની તમામ માહિતી આપવા સાથે સંવેદના અને સેવા ક્ષેત્ર દેશભરમાં આ સંસ્થા વિકલાંગો દિવ્યાંગો શારીરિક પડકારરૂપ બાલ જગત માટે અભૂતપૂર્વક કામ કરી રહી છે. એમ જણાવ્યું હતું આગામી તારીખ 26 માર્ચે સાંજે પાંચ કલાકે પૂજ્ય મોરારીબાપુ ના પાવન પગલાં આ મમતા મંદિર પર ફરીથી પડશે.

તેમના આશીર્વાદ અમારી મહામૂલી મૂડી બની રહેશે. એમ જણાવ્યું હતું આ સંસ્થા દ્વારા હાલ 750 થી વધુ બાળકો પાંચ પેટા સંસ્થાઓમાં પોતાનું ભણતર અને જીવનનું ઘડતર કરી રહ્યા છે.

શૈક્ષણિક ઉપરાંત ઈતર પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય અને રાષ્ટ્રભરમાં આ બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે મહેશભાઈ કોઠારી આઠ બાળકો સાથે ચાલુ ચાલુ કરેલી આ સંસ્થા સંપૂર્ણપણે પ્રામાણિક પારદર્શક અને સેવા માટે દેશમાં ઉદાહરણરૂપ બની ચૂકી છે.

આગામી 26 માર્ચે સાંજે પાંચ કલાકે પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતામાં સખાવતીઓ અને પ્રતિભાવાન દિવ્યાંગ બાળકોનું અભિવાદન થશે.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *