નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ: મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા

નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ: મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા

નવસારીના લુન્સીકુઇ મેદાન ખાતે પૂ.મોરારીબાપુની રામકથાનો આજથી પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથાશ્રવણનો લાભ લેવા ઉમટી પડયા હતાં.

 

રામકથાના પ્રારંભમાં મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલે પૂ.મોરારીબાપુની અભિવાદન સ્વીકારી લાલવાણી પરિવારની લોકસેવાને બીરદાવતા જણાવ્યું હતું કે, કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથા એટલે સત્ય, પ્રેમ અને કરૂણા. લાલવાણી પરિવાર થકી પૂ.બાપુનો કથા શ્રાવણનો  નવસારીના લોકોને મળ્યો છે.

મોરારી બાપુની કથામાં આયોજકો દ્વારા મંડપમાં ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ હતી પ્રેમ કરુણા એને સત્ય એમ ત્રણ વિભાગમાં બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ હતી તો જેમાં સોફા ખુરશી સહિતની વ્યવસ્થા છે તો વળી મંડપમાં લોકોને તાપ ના લાગે તે માટે એસી, પંખા અને ફુવારા મુકાયા છે તો પ્રવેશ દ્વારે છાસ પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહયાં હતાં.

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *