નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ: મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા

નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ: મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા

નવસારીના લુન્સીકુઇ મેદાન ખાતે પૂ.મોરારીબાપુની રામકથાનો આજથી પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથાશ્રવણનો લાભ લેવા ઉમટી પડયા હતાં.

 

રામકથાના પ્રારંભમાં મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલે પૂ.મોરારીબાપુની અભિવાદન સ્વીકારી લાલવાણી પરિવારની લોકસેવાને બીરદાવતા જણાવ્યું હતું કે, કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથા એટલે સત્ય, પ્રેમ અને કરૂણા. લાલવાણી પરિવાર થકી પૂ.બાપુનો કથા શ્રાવણનો  નવસારીના લોકોને મળ્યો છે.

મોરારી બાપુની કથામાં આયોજકો દ્વારા મંડપમાં ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ હતી પ્રેમ કરુણા એને સત્ય એમ ત્રણ વિભાગમાં બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ હતી તો જેમાં સોફા ખુરશી સહિતની વ્યવસ્થા છે તો વળી મંડપમાં લોકોને તાપ ના લાગે તે માટે એસી, પંખા અને ફુવારા મુકાયા છે તો પ્રવેશ દ્વારે છાસ પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહયાં હતાં.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *