નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ: મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા

નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ: મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા

નવસારીના લુન્સીકુઇ મેદાન ખાતે પૂ.મોરારીબાપુની રામકથાનો આજથી પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથાશ્રવણનો લાભ લેવા ઉમટી પડયા હતાં.

 

રામકથાના પ્રારંભમાં મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલે પૂ.મોરારીબાપુની અભિવાદન સ્વીકારી લાલવાણી પરિવારની લોકસેવાને બીરદાવતા જણાવ્યું હતું કે, કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથા એટલે સત્ય, પ્રેમ અને કરૂણા. લાલવાણી પરિવાર થકી પૂ.બાપુનો કથા શ્રાવણનો  નવસારીના લોકોને મળ્યો છે.

મોરારી બાપુની કથામાં આયોજકો દ્વારા મંડપમાં ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ હતી પ્રેમ કરુણા એને સત્ય એમ ત્રણ વિભાગમાં બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ હતી તો જેમાં સોફા ખુરશી સહિતની વ્યવસ્થા છે તો વળી મંડપમાં લોકોને તાપ ના લાગે તે માટે એસી, પંખા અને ફુવારા મુકાયા છે તો પ્રવેશ દ્વારે છાસ પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહયાં હતાં.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *