સ્તુતિ ના એક છેડે નિંદા છે પરંતુ અસ્તુ માત્ર તથાસ્તુ હોય છે:મોરારીબાપુ
- Local News
- March 24, 2023
- No Comment
નવસારીમાં શ્રી રામકથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટતા એક લાખ ચોરસ ફૂટનો કથા મંડપ પણ નાનો પડી રહ્યો છે
નવસારી ખાતે વિશ્વ વંદનીય કથાકાર અને તત્વચિંતક મોરારીબાપુની રામકથાનો આજે ત્રીજો દિવસ રહ્યો હતો પૂજ્ય બાપુએ રામકથામાં આજે શિવ વિવાહનો પ્રસંગ વણી લેવા સાથે સતી માતા સતી માતા અને ત્યારબાદ નાગાધીરાજ હિમાલય ની પુત્રી એટલે પાર્વતી એમ બંને જન્મો સાથે પાર્વતી ની માત્ર જન્મો જન્મ ઝંખના એટલે શિવજી અને ત્રિલોકનાથ શિવજી અને શક્તિ સ્વરૂપ સતી માતા પાર્વતીના મહિમાને બળવત્તર બનાવી પૂજ્ય મોરારીબાપુએ પોતાની ભાવ શૈલીમાં સેકડો ભાવિકોને નવધા ભક્તિ માં નવ પલ્લવીત કર્યા હતા પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે સાધુના મૂળ અને કુળને કદી પૂછવું નહીં સાધુ વેશ ની કદી પણ નિંદા કરવી નહીં અને નિંદા કરનાર ધિક્કાને પાત્ર છે

પૂજ્ય બાપુએ જણાવ્યું કે આ કથા માનસ ગૌરીની કથા છે તેના દ્વારા આપણે સત્ય દેવો ભવ પ્રેમ દેવો ભવો કરુણા દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવો અને જય જગતની વિનોબા ની ભાવના સુધી પહોંચવાનું છે તમામ કથાઓ પ્રેમની કથા છે પ્રેમનો યજ્ઞ છે જોગા નું જોગ અહીં પ્રેમ મુખ્ય યજમાન છે એ સંયોગ છે તમામ કથાઓ પ્રેમનો યજ્ઞ છે.

સજ્જનો સંગ થાય છે અને દૂષણ આપણા દૂર થાય છે તેમણે ભોલેનાથ મહાદેવ અને પાર્વતીના મહિમાને ગુણવત્તર બનાવવા સાથે ગણેશજીના મોટા કાન એટલે નાનામાં નાના માણસને સાંભળવું લાંબી સૂંઢ એટલે સદાચાર અને આબરૂ મોટું મસ્તક એટલે બુદ્ધિનો વ્યાપ અને ઝીણી આંખો એટલે સૂક્ષ્મ દર્શન આરપાર જોવું દિવ્ય દર્શન આ ગણેશ નો મહિમા છે પૂનમનો ચાંદ જેમ પૂર્ણ ખીલે એવા શિવજી છે.

પૂજ્ય મોરારીબાપુએ સૌ ભાવિકોને નૃત્ય કરવાની પરવાનગી આપતા સંગીતની દુનિયાના સંગીતકારો સાથે સૂર લઈ તાલ મિલાવી આખો કથા મંડપ ઠૂમકે ચડ્યો હતો મોરારીબાપુએ પ્રસન્નતાપૂર્વક યજમાન પ્રેમચંદભાઈ પરિવારને પણ મંચસ્થ કરી ગરબે અને પોથી પ્રદિક્ષણાએ નૃત્યના ઠૂમકે ચડાવ્યા હતા. આજનો દિવસ ક્રમશઃ કથા ઉચ્ચ શિખર જઈ રહી છે એનો આ હ લાદક અનુભવ થયા હતા સમગ્ર નવસારી પ્રદેશ અને દક્ષિણ ગુજરાત રામમય અને મોરારીમય બની રહ્યું છે

દુનિયાભરમાં સભા થાય પરંતુ સતત નવ દિવસ ધોળા દિવસે સભા થાય અને હજારો ભાવિકો ઉમટે એ પોથી નો પ્રતાપ છે