ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.   

ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.   

21મી માર્ચે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વનમંત્રી, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા.જે કાર્યક્રમમાં ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરવા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.જેમાં ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ભદરપાડા ગામે રહેતા ગમનભાઈ સોનુભાઈ પટેલને પોતાના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી અવનવી પ્રકારના મહાગુની, રકત ચંદન, સુખડ ચંદન, સાગ જેવા વૃક્ષોનું વાવેતર કરી ડાંગ જિલ્લામાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ડાંગના ખેડૂતો માટે એક પ્રેરણાદાયી પહેલની શરૂઆત કરી પોતાના 3.85 હેકટર જમીનમાં 25 હજાર જેટલા વૃક્ષોનું ઉછેર કરી પર્યાવરણની જાળવણીના અભિયાનમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી દ્વારા વર્ષ-2022-23 માટે ગમનભાઇ સોનુભાઇ પટેલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા પોતાનું ગામ ભદરપાડા સહિત ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *