ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.   

ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.   

21મી માર્ચે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વનમંત્રી, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા.જે કાર્યક્રમમાં ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરવા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.જેમાં ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ભદરપાડા ગામે રહેતા ગમનભાઈ સોનુભાઈ પટેલને પોતાના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી અવનવી પ્રકારના મહાગુની, રકત ચંદન, સુખડ ચંદન, સાગ જેવા વૃક્ષોનું વાવેતર કરી ડાંગ જિલ્લામાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ડાંગના ખેડૂતો માટે એક પ્રેરણાદાયી પહેલની શરૂઆત કરી પોતાના 3.85 હેકટર જમીનમાં 25 હજાર જેટલા વૃક્ષોનું ઉછેર કરી પર્યાવરણની જાળવણીના અભિયાનમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી દ્વારા વર્ષ-2022-23 માટે ગમનભાઇ સોનુભાઇ પટેલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા પોતાનું ગામ ભદરપાડા સહિત ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *