પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના ગુનામાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દોષિત જાહેર, કોર્ટે 1રૂપિયો પાછો આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના ગુનામાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દોષિત જાહેર, કોર્ટે 1રૂપિયો પાછો આપ્યો

રાહુલ ગાંધીને ‘મોદી’ શબ્દ નડી ગયો સુરત ખાતે ગત 23મી માર્ચ દિવસે માનહાની કેસમાં 2 વર્ષની સુરત કોર્ટે સજા ફટકારી છે, એટલું જ નહીં તેમની જન પ્રતિનિધિ કાનૂન પ્રમાણે સંસદ માંથી પણ સદસ્યતા છીનવાઈ ગઈ છે ત્યારે નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખવા બદલના ગુનામાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નવસારીમાં વર્ષ 2017માં ધારાસભ્ય અનંત પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખ્યો હતો.

શું આપી કોર્ટે સજા

નવસારી જિલ્લાની વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ ઉપર વર્ષ 2017માં IPC 447 અંતર્ગત જલાલપોર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. જેમાં તેમના પર ગંભીર આરોપ હતો કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડી નાખ્યું છે. જોકે આ મામલાને લઈને જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. આ કેસમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત તેમની સાથે ફરિયાદમાં આરોપી તરીકેના પીયુષ ઢીંમ્મર, યશ દેસાઈ અને પાર્થિવ રાજ સિંહને કોર્ટ દોષિત ઠેરવ્યા છે.

કોર્ટમાં 100 રૂપિયા ની નોટ આપી તો કોર્ટે 1 રૂપિયો પાછો આપ્યો

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વર્ષ 2017ની હડતાળ દરમિયાન કુલપતિની ચેમ્બરમાં બળજબરીથી ઘૂસેલા અનંત પટેલ, પીયૂષ ધીમ્મર, યશ દેસાઈ અને પાર્થિવ રાજસિંહ સહિતના યુથ કોંગ્રેસના કાર્યકરોએ નવસારીના જલાલપોર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો.

2017માં કૃષિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવા બદલ નવસારી સેશન્સ કોર્ટ દ્વારા ધારાસભ્ય અનંત પટેલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અનંત પટેલે કોર્ટમાં દંડ પેટે 100 રૂપિયાની નોટ આપી તો સામે 1 રૂપિયો પાછો પણ આપ્યો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *