નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ 

નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ 

તારીખ ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી ભારતીય જનતા પાર્ટી આ દિવસને સ્થાપના દિન તરીકે ઉજવે છે.

આજના સ્થાપના દિન નિમિત્તે કમલમ ભાજપ કાર્યાલય નવસારી ખાતે સવારે 9.00 કલાકે નવસારી જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ શાહ ની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ધ્વજને ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે તેઓ દ્વારા પક્ષની સ્થાપના થી લઈ આજ દિન સુધી પક્ષની વિકાસ યાત્રા નું વર્ણન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમથી પાર્ટીનું શૂન્ય માંથી સર્જન થઈ આજ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તે માટે સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ સવારે વિશ્વ નેતા તેમજ આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર કાર્યકર્તાઓ સમક્ષ લાઈવ માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું તેમણે પણ પાર્ટીના ૫૦ વર્ષ થાય અને દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય તેની ભવ્ય ઉજવણીની હમણાંથી જ તૈયારીઓમાં લાગી ભારત માતાને પરમ વૈભવ પર કેવી રીતે પહોંચાડવા અને સમગ્ર નાગરિકોની સુખાકારી કેવી રીતે સારી કરી શકાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું.

સમગ્ર જિલ્લા ના પ્રત્યેક મંડળ માં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય તથા પાર્ટીના ધ્વજનું અનાવરણ કરી સહુનું મોઢું મીઠું કરાવી આ પર્વને ઉજવવામાં આવ્યો હતો. આ અઠવાડિયાને “સુશાસન વિક” તરીકે ઉજવવામાં આવશે

કાર્યાલય ખાતે આદરણીય પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશ નાયક,માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *