નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ 

નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ 

તારીખ ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી ભારતીય જનતા પાર્ટી આ દિવસને સ્થાપના દિન તરીકે ઉજવે છે.

આજના સ્થાપના દિન નિમિત્તે કમલમ ભાજપ કાર્યાલય નવસારી ખાતે સવારે 9.00 કલાકે નવસારી જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ શાહ ની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ધ્વજને ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે તેઓ દ્વારા પક્ષની સ્થાપના થી લઈ આજ દિન સુધી પક્ષની વિકાસ યાત્રા નું વર્ણન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમથી પાર્ટીનું શૂન્ય માંથી સર્જન થઈ આજ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તે માટે સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ સવારે વિશ્વ નેતા તેમજ આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર કાર્યકર્તાઓ સમક્ષ લાઈવ માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું તેમણે પણ પાર્ટીના ૫૦ વર્ષ થાય અને દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય તેની ભવ્ય ઉજવણીની હમણાંથી જ તૈયારીઓમાં લાગી ભારત માતાને પરમ વૈભવ પર કેવી રીતે પહોંચાડવા અને સમગ્ર નાગરિકોની સુખાકારી કેવી રીતે સારી કરી શકાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું.

સમગ્ર જિલ્લા ના પ્રત્યેક મંડળ માં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય તથા પાર્ટીના ધ્વજનું અનાવરણ કરી સહુનું મોઢું મીઠું કરાવી આ પર્વને ઉજવવામાં આવ્યો હતો. આ અઠવાડિયાને “સુશાસન વિક” તરીકે ઉજવવામાં આવશે

કાર્યાલય ખાતે આદરણીય પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશ નાયક,માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *