નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ 

નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ 

તારીખ ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી ભારતીય જનતા પાર્ટી આ દિવસને સ્થાપના દિન તરીકે ઉજવે છે.

આજના સ્થાપના દિન નિમિત્તે કમલમ ભાજપ કાર્યાલય નવસારી ખાતે સવારે 9.00 કલાકે નવસારી જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ શાહ ની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ધ્વજને ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે તેઓ દ્વારા પક્ષની સ્થાપના થી લઈ આજ દિન સુધી પક્ષની વિકાસ યાત્રા નું વર્ણન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમથી પાર્ટીનું શૂન્ય માંથી સર્જન થઈ આજ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તે માટે સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ સવારે વિશ્વ નેતા તેમજ આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર કાર્યકર્તાઓ સમક્ષ લાઈવ માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું તેમણે પણ પાર્ટીના ૫૦ વર્ષ થાય અને દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય તેની ભવ્ય ઉજવણીની હમણાંથી જ તૈયારીઓમાં લાગી ભારત માતાને પરમ વૈભવ પર કેવી રીતે પહોંચાડવા અને સમગ્ર નાગરિકોની સુખાકારી કેવી રીતે સારી કરી શકાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું.

સમગ્ર જિલ્લા ના પ્રત્યેક મંડળ માં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય તથા પાર્ટીના ધ્વજનું અનાવરણ કરી સહુનું મોઢું મીઠું કરાવી આ પર્વને ઉજવવામાં આવ્યો હતો. આ અઠવાડિયાને “સુશાસન વિક” તરીકે ઉજવવામાં આવશે

કાર્યાલય ખાતે આદરણીય પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશ નાયક,માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *