યુરીયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ તથા નિકાસ મામલે ચીખલી ખાતે રેઝીન બનાવતી કંપનીમાં ખેતીવાડી ખાતાના દરોડા

યુરીયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ તથા નિકાસ મામલે ચીખલી ખાતે રેઝીન બનાવતી કંપનીમાં ખેતીવાડી ખાતાના દરોડા

રાજ્યમાં ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ થતો અટકાવવા તથા આ સંબંધિત ગુનાખોરી પર નજર રાખી આવુ કૃત્ય આચરતા તત્વોને પકડી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે ખેતીવાડી ખાતાને સુચનાઓ આપી હતી. જે અનુસંધાને ખેતીવાડી ખાતા દ્વારા ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ તથા તેને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હોવાની મળેલી ચોક્ક્સ બાતમીનાં આધારે તાજેતરમાં નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં દરોડા પાડવામા આવ્યા હતાં.

ચીખલી તાલુકાનાં આલીપોર (ખુંધ) ખાતે આવેલી આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ, આલીપોર ખાતે આવેલી વિન્ડસન કેમીકલ પ્રાઇવેટ લીમીટેડ તથા થાલા ખાતેના શિવકૃપા હોટેલમાં તપાસ કરવામાં આવી હતી. આ વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં ૬ અલગ અલગ વાહનોમાંથી રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ની જોગવાઇ મુજબ આ પકડાયેલ જથ્થામાંથી કુલ ૧૨ નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે ગાંધીનગર ખાતેની અધિકૃત ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે આ સમગ્ર પ્રકરણમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો અનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું સાબીત થયુ છે. જેનાં આધારે વાહનોમાં ભરેલો અનઅધિકૃત જથ્થો તથા ૬ વાહનો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે.

આ જથ્થો નીમ કોટેડ યુરીયાનો છે, જે મંડળીઓમાંથી ખેડૂતોને ખાતર તરીકે વપરાશ માટે આપવામાં આવે છે. પરંતુ, ખોટા ઉપજાવી કાઢેલ બીલો બનાવી રેઝીન પાઉડરની બેગમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો ટ્રાન્સફર કરી કંપનીનાં માલીક  વિનોદભાઇ તેજાભાઇ પટેલ કન્ટેનરો મારફત આ જથ્થો એક્સ્પોર્ટ કરવાની તૈયારીમાં હતા.

જો કે આ જથ્થો એક્સ્પોર્ટ થાય તે પહેલા જ ગાંધીનગરની ખેતીવાડી ખાતાની જાગૃત ટીમ દ્વારા અનઅધિકૃત ખાતરનો ખુબ જ મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પકડાયેલા ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો કંપનીનાં માલિક દ્વારા કયાં ખાતરનાં વિક્રેતાઓ પાસેથી મેળવેલ છે અને કોને સપ્લાય કરવામાં આવનાર હતો તે અંગેની તપાસ માટે તા.૧૦.૦૪.૨૦૨૩ નાં રોજ દેવસર-બીલીમોરાના વિનોદભાઈ તેજાભાઇ પટેલ સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો:નમૂના પૃથ્થકરણના રીપોર્ટમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો અનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું બહાર આવતા કંપની માલિક સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *