ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ માર્ચ માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલ ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ માધ્યમથી પણ પરિણામ મેળવી જોઈ શકશે

વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજકેટ વાત કરીએ તો રાજ્યના કુલ 35 કેન્દ્ર ઉપર લેવાયેલ પરિક્ષા માં ગુજરાતી માધ્યમ માં 83353,અંગ્રેજી માધ્યમ માં 45920 હિન્દી માધ્યમ માં 1246 એમ કુલ મળીને 130516 ગુજકેટ તેમજ તથા વિજ્ઞાન પ્રવાહ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે.

 

 

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *