ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે
- Local News
- May 1, 2023
- No Comment
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ માર્ચ માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલ ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ વોટ્સએપ માધ્યમથી પણ પરિણામ મેળવી જોઈ શકશે
વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજકેટ વાત કરીએ તો રાજ્યના કુલ 35 કેન્દ્ર ઉપર લેવાયેલ પરિક્ષા માં ગુજરાતી માધ્યમ માં 83353,અંગ્રેજી માધ્યમ માં 45920 હિન્દી માધ્યમ માં 1246 એમ કુલ મળીને 130516 ગુજકેટ તેમજ તથા વિજ્ઞાન પ્રવાહ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે.