કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ

કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪×૭ સીસીટીવીની નજરમાં નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં EVM અને VVPAT સુરક્ષિત સંગ્રહ કરવામાં આવશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં વિવિધ આગોતરી તૈયારીઓ ચાલી રહી છે. જે અનવ્યે નવસારી જિલ્લામાં કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી હાથ ધરાઇ હતી.

૧૭૪ જલાલપોર મતવિસ્તાર માટે ૩૦૭ બેલેટ યુનિટ, ૩૦૭ કંટ્રોલ યુનિટ, ૩૩૨ વીવીપેટની ફાળવણી, ૧૭૫ નવસારી મતવિસ્તાર માટે ૩૧૦ બેલેટ યુનિટ, ૩૧૦ કંટ્રોલ યુનિટ, ૩૩૪ વીવીપેટ, ૧૭૬ ગણદેવી(એસ.ટી) મતવિસ્તાર માટે ૩૭૬ બેલેટ યુનિટ, ૩૭૬ કંટ્રોલ યુનિટ, ૪૦૬ વીવીપેટની ફાળવણી તથા ૧૭૭ વાંસદા (એસ.ટી) મતવિસ્તાર માટે ૪૦૧ બેલેટ યુનિટ, ૪૦૧ કંટ્રોલ યુનિટ, અને ૪૩૩ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. આમ, નવસારી જિલ્લાની ૦૪ વિધાનસભાઓ માટે ૧૩૯૪ બેલેટ યુનિટ, ૧૩૯૪ કંટ્રોલ યુનિટ અને ૧૫૦૫ વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રી ઉપસ્થિતિમાં વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને સંબંધિત અધિકારીઓ દ્વારા નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪×૭ સીસીટીવી ની નજરમાં સંગ્રહ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સહિત રાજકિય પક્ષોની ઉપસ્થિતિમાં EVM અને VVPATની ફાળવણી કરાઇ

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *