કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ

કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪×૭ સીસીટીવીની નજરમાં નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં EVM અને VVPAT સુરક્ષિત સંગ્રહ કરવામાં આવશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં વિવિધ આગોતરી તૈયારીઓ ચાલી રહી છે. જે અનવ્યે નવસારી જિલ્લામાં કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી હાથ ધરાઇ હતી.

૧૭૪ જલાલપોર મતવિસ્તાર માટે ૩૦૭ બેલેટ યુનિટ, ૩૦૭ કંટ્રોલ યુનિટ, ૩૩૨ વીવીપેટની ફાળવણી, ૧૭૫ નવસારી મતવિસ્તાર માટે ૩૧૦ બેલેટ યુનિટ, ૩૧૦ કંટ્રોલ યુનિટ, ૩૩૪ વીવીપેટ, ૧૭૬ ગણદેવી(એસ.ટી) મતવિસ્તાર માટે ૩૭૬ બેલેટ યુનિટ, ૩૭૬ કંટ્રોલ યુનિટ, ૪૦૬ વીવીપેટની ફાળવણી તથા ૧૭૭ વાંસદા (એસ.ટી) મતવિસ્તાર માટે ૪૦૧ બેલેટ યુનિટ, ૪૦૧ કંટ્રોલ યુનિટ, અને ૪૩૩ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. આમ, નવસારી જિલ્લાની ૦૪ વિધાનસભાઓ માટે ૧૩૯૪ બેલેટ યુનિટ, ૧૩૯૪ કંટ્રોલ યુનિટ અને ૧૫૦૫ વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રી ઉપસ્થિતિમાં વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને સંબંધિત અધિકારીઓ દ્વારા નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪×૭ સીસીટીવી ની નજરમાં સંગ્રહ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સહિત રાજકિય પક્ષોની ઉપસ્થિતિમાં EVM અને VVPATની ફાળવણી કરાઇ

Related post

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોબાઇલ ચોરી કરી વેચાણ કરનાર આરોપીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી ટીમ

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત…

નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી આ ગુના ઉકેલ માટે જિલ્લા પોલીસ…
નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે…

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા…
રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ…

નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *