
જલાલપોર તાલુકાનું દાંડી ગામ દેશભક્તિના રંગમાં રંગાયુ :‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જલાલપોર તાલુકાના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
- Local News
- August 10, 2024
- No Comment
દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે.
જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામજનો,તાલુકા પંચાયતના કર્મચારી તથા પોલીસકર્મી સાથે શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.જલાલપોર તાલુકાની હર ઘર તિરંગા યાત્રામાં લોકોએ દાંડી કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું સાથે કાર્યક્રમના સમાપન વખતે દેશભક્તિ ગીતો અને નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
આ પ્રસંગે જલાલપોર તાલુકાની તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ, તાલુકા પંચયાત કારોબારી અધ્યક્ષ હિરેનભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ,પી.આઈ લાડુમોર,તાલુકા પંચાયત સભ્યો, દાંડી સરપંચ,અધિકારી-કર્મચારીઓ,સભ્યો,સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.
આપણો તિરંગો આપણું ગૌરવ:નવસારી જિલ્લાના દાંડીના ગ્રામજનો,તાલુકાકર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું