નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાંથી હજારો ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાંથી હજારો ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ ના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળો – ૨૦૨૪ નું ઉદ્દઘાટન તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ નવસારીના સાંસદ અને ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી સી. આર. પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

કૃષિ મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાથી ૭૦૦૦ થી વધારે ખેડૂતભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો. કૃષિ પ્રદર્શનમાં કૃષિ યુનિવર્સિટી, વિવિધ સખી મંડળો, સહકારી મંડળીઓ, એનજીઓ, એફપીઓ, વિતરકો તથા ખેતી સંલગ્ન કંપનીઓ દ્વારા ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતનાં વિવિધ ગામો અને શહેરોમાંથી ૧૫૦૦૦ થી વધારે ખેડૂત મિત્રો અને શહેરીજનોએ આ કૃષિ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી.

કૃષિ મેળાના બીજા દિવસે આશરે ૧૧૦૦૦ થી ૧૨૦૦૦ ખેડૂતો અને શહેરીજનોએ ભાગ લીધો હતો. આ દિવસે કૃષિ મેળાની મુલાકાત માટે મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણિયા અને સુમુલ ડેરી, સુરતના ચેરમેન માનસિંગભાઇ પટેલ, વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલ તથા ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલીના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ, સીઇઓ ડૉ. દિનેશભાઇ શાહ અને પ્રોવોસ્ટ ડૉ. યોગેશ્વર કોસ્ટાની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. દક્ષિણ ગુજરાતમાં લગભગ ૧૫ વર્ષ પછી યોજાયેલ કૃષિ મેળામાં ખેડૂતો અને શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આમ ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૫૦૦૦ થી ૪૦૦૦૦ જેટલા ખેડૂતો આ મેળાની મુલાકાત લઈ જાણકારી પ્રાપ્ત કરી હતી. કૃષિ પ્રદર્શન સ્ટોલધારકો પણ ખેડૂતો અને શહેરીજનોના પ્રતિસાદથી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે સમગ્ર ત્રણ દિવસ દરમ્યાન સતત કૃષિ મેળામાં ખેડૂતો અને મુલાકાતીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શિત કરતાં રહી એક અનુકરણીય ચીલો ચાતર્યો હતો.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *