નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાંથી હજારો ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાંથી હજારો ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ ના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળો – ૨૦૨૪ નું ઉદ્દઘાટન તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ નવસારીના સાંસદ અને ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી સી. આર. પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

કૃષિ મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાથી ૭૦૦૦ થી વધારે ખેડૂતભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો. કૃષિ પ્રદર્શનમાં કૃષિ યુનિવર્સિટી, વિવિધ સખી મંડળો, સહકારી મંડળીઓ, એનજીઓ, એફપીઓ, વિતરકો તથા ખેતી સંલગ્ન કંપનીઓ દ્વારા ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતનાં વિવિધ ગામો અને શહેરોમાંથી ૧૫૦૦૦ થી વધારે ખેડૂત મિત્રો અને શહેરીજનોએ આ કૃષિ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી.

કૃષિ મેળાના બીજા દિવસે આશરે ૧૧૦૦૦ થી ૧૨૦૦૦ ખેડૂતો અને શહેરીજનોએ ભાગ લીધો હતો. આ દિવસે કૃષિ મેળાની મુલાકાત માટે મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણિયા અને સુમુલ ડેરી, સુરતના ચેરમેન માનસિંગભાઇ પટેલ, વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલ તથા ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલીના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ, સીઇઓ ડૉ. દિનેશભાઇ શાહ અને પ્રોવોસ્ટ ડૉ. યોગેશ્વર કોસ્ટાની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. દક્ષિણ ગુજરાતમાં લગભગ ૧૫ વર્ષ પછી યોજાયેલ કૃષિ મેળામાં ખેડૂતો અને શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આમ ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૫૦૦૦ થી ૪૦૦૦૦ જેટલા ખેડૂતો આ મેળાની મુલાકાત લઈ જાણકારી પ્રાપ્ત કરી હતી. કૃષિ પ્રદર્શન સ્ટોલધારકો પણ ખેડૂતો અને શહેરીજનોના પ્રતિસાદથી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે સમગ્ર ત્રણ દિવસ દરમ્યાન સતત કૃષિ મેળામાં ખેડૂતો અને મુલાકાતીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શિત કરતાં રહી એક અનુકરણીય ચીલો ચાતર્યો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *