નવસારી ની દીકરી નું છત્તીસગઢ માં કરાયું સન્માન:પ્રીતિ માલુ ને પહેલી રોટી ગાય કી અભિયાન માટે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ અપાયો

નવસારી ની દીકરી નું છત્તીસગઢ માં કરાયું સન્માન:પ્રીતિ માલુ ને પહેલી રોટી ગાય કી અભિયાન માટે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ અપાયો

નવસારી થી શરૂ થયેલું પહેલી રોટી ગાય કી અભિયાન હવે રાજ્ય ના સીમાડા વટાવી રહ્યું છે.ગૌસેવા માટે વિશેષ અભિયાન હાથ ધરનાર નવસારી ની દીકરી પ્રીતિ માલુ ને છત્તીસગઢ રાજ્ય ના ખેરાગઢ ખાતે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ એનાયત કરાયો હતો.

નવસારી શહેર ના જૈન પરિવાર ની દીકરી પ્રીતિ માલુ દ્વારા ભુલાઈ રહેલી સંસ્કૃતિ ને પુનઃ યાદ કરાવવા પહેલી રોટી ગાય કી અભિયાન શરૂ કરાયું છે.ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક ઘર માં બનતી રસોઈ વેળા પહેલી ગૌમાતા માટે બનાવવામાં આવતી હતી.અને તે રોટલી ગાય માતા ને ભાવ પૂર્વક ખવડાવ્યા બાદ ઘર ના સભ્યો ભોજન કરતા હતા.જે સાંસ્કૃતિક વારસો આજ ના આધુનિક યુગ માં વિસરાઈ રહ્યો છે.આજ ની પેઢી ફરી એ સાંસ્કૃતિક મૂલ્યો તરફ પાછી વળે તે હેતુ થી પહેલી રોટી ગાય કી અભિયાન હાથ ધરાયું હતું.જે અભિયાન માત્ર એક વર્ષ ના ટૂંકા ગાળા માં દક્ષિણ ગુજરાત ની ૭૫ જેટલી શાળાઓ માં શરૂ થયું છે.અને તે શાળાઓ માં અભ્યાસ કરતા એક લાખ થી વધુ બાળકો પહેલી રોટી ગાય કી પોતાના ઘરે થી લઇ ને આવતા થયા છે.બાળકો દ્વારા શાળામાં લવાયેલી રોટલી પ્રીતિ માલુ ની સંસ્થા પ્રીત ફાઉન્ડેશન ના સ્વયમ સેવકો એકત્ર કરી ગૌ શાળા માં ગાયો ને ખવડાવે છે.

પ્રીતિ માલુ દ્વારા શરૂ કરાયેલ પહેલી રોટી ગાય કી અભિયાન ની સુવાસ છત્તીસગઢ સુધી પહોંચી હતી.છત્તીસગઢ રાજ્ય ના રાયપુર નજીક ખેરાગઢ ખાતે શ્રી કમલાબાઇ કન્હૈયાલાલ ડાકલિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોહર ગૌશાળા નું સંચાલન કરવામાં આવે છે.જે સંસ્થા છત્તીસગઢ રાજ્ય માં ગૌ સેવા માટે ખુબજ જાણીતી છે.આ સંસ્થા દ્વારા પાછલા ત્રણ વર્ષો થી જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ એનાયત કરવાની શરૂઆત કરવામાં આવી છે.જે એવોર્ડ છત્તીસગઢ રાજ્ય ના માજી મહામહિમ રાજ્યપાલ અનસૂયા ઉઇકે ને એનાયત કરવામાં આવ્યો હતો.અને હાલ આ એવોર્ડ માટે નવસારી ની દીકરી પ્રીતિ માલુ ના નામ ની પસંદગી કરવામાં આવી હતી.

શ્રી કમલાબાઈ કન્હૈયાલાલ ડાકલિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મનોહર ગૌશાળા (ખેરાગઢ,છત્તીસગઢ) ખાતે વિશેષ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ માં ભારત સરકાર ના જીવ જંતુ કલ્યાણ બોર્ડ ના ડિરેક્ટર સુનીલ માનસિંહકા,ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય રાયપુર ના કુલપતિ ડો.ગિરીશ ચંડેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં પહેલી રોટી ગાય કી અભિયાન માટે પ્રીતિ માલુ ને છત્તીસગઢ રાજ્ય સરકાર ના ગૌસેવા આયોગ ના અધ્યક્ષ વિસેસર પટેલ ના હસ્તે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ એનાયત કરાયો હતો.આ પ્રસંગે પોતાના ઉદબોધન દરમિયાન પ્રીતિ માલુએ પહેલી રોટી ગાય કી અભિયાન છત્તીસગઢ રાજ્યમાં શરૂ કરવા અપીલ કરી હતી.જે અપીલ તે કાર્યક્રમ માં ઉપસ્થિત હજારો લોકો એ સહર્ષ વધાવી લીધી હતી.તેમજ ટૂંક જ સમયમાં આ અભિયાન શરૂ કરવાની ખાતરી પણ આપી હતી.

ભારતીય સંસ્કૃતિ મુજબ ઘરમાં બનતી પહેલી રોટી ગાયને અપાતી આજ ના આધુનિક યુગમાં ભુલાઈ તેમજ વિસરાઇ ગયેલ ફરી એકવાર શાળા બાળકો સાથે જોડી ઘર ઘર સુધી ફરી એકવાર યાદ કરાવી આ પરંપરા યાદ કરાવી

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *