નવસારી-કાલિયાવાડી ખાડી પર પહેલો કાળા પુલનું નામ સર જે.જે. બ્રિજ છે! નવસારીના ઇતિહાસમાં આ પુલ ત્રીજી વાર બંધાઇ રહ્યો છે

નવસારી-કાલિયાવાડી ખાડી પર પહેલો કાળા પુલનું નામ સર જે.જે. બ્રિજ છે! નવસારીના ઇતિહાસમાં આ પુલ ત્રીજી વાર બંધાઇ રહ્યો છે

કેળવણી,આરોગ્ય અને સર્વાંગી સેવા માટે નવસારીમાં આવી ને વસેલા પારસીઓએ અનેક સખાવતો દાયકાઓથી-સૈકાઓથી વખતો વખત કરી છે. નવસારી કલેક્ટર ઓફિસ નજીક અને શિવાની રેસિડેન્સી તથા શંખેશ્વર કોમ્પલેક્ષ નજીક નવસારી શહેર કાલિયાવાડી જવા મુખ્ય રાજમાર્ગ પર પહેલો પુલ અંદાજે ૧૦૦ થી ૧૨૫ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો.

દુનિયાભરમાં સખાવત માટે જગપ્રસિધ્ધ સર્ જમશેદજી જીજીભોય અને શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભોયે નવસારીમાં નાની હોસ્પિટલ-દવાખાનું બને એ માટે હાલમાં કાલિયવાડી નાકે ચાલતી આયુર્વેદ હોસ્પિટલનું સંકુલ તે જમાનામાં સદી પહેલાં રૂા.૭૫,૦૦૦/- ના ખર્ચે સાકાર કરી તેનું નામકરણ ‘“વિક્ટોરિયા ચેરીટેબલ ડિસ્પેન્સરી’ આપ્યું હતું.

ફાઈલ ફોટો

આ હોસ્પિટલમાં તે જમાનામાં અત્યંત લોકપ્રિય ડોક્ટર રૂસ્તમજી હાથીરામ અને ડો.જમશેદજી બહેરામજી એ તબીબી સેવા આપી હતી.આ હોસ્પિલટ પર આવવા-જવા કલેક્ટર ઓફિસની બાજુમાં જે ખાડી છે તેના પર સર જમશેદજીના પત્ની આવાંબાઈએ રૂા.૧૮,૩૭૬/- અને સરકારશ્રીની ગ્રાંટ રૂા.૨,૭૫૫,- સાથે કુલ રૂા.૨૨,૫૪૨/- ના ખર્ચ અંદાજે ૧૧૫ વર્ષ પહેલાં સર.જે.જે. બ્રિજ નામ સાથે લોકાર્પણ થયું હોવાનું જાણવા મળેલ છે.

ત્યારબાદ વસ્તી વધારો, વધુ વાહન-વ્યવહાર અને અંદાજે સને-૨૦૧૧-૨૦૧૨ ની સાલમાં નિર્ભળ બાંધકામ સાથે નવો પુલ બન્યો હતો, પરંતુ તે પણ નબળો પડતા હાલના શાસનકર્તાઓ દ્વારા ત્રીજી વાર પુલનું નિર્માણ થયું છે. આ બ્રિજ ભલે નવલો બને પણ તેનું નામ “સર જે.જે. બીજ” જળવાવ જાળવી સખાવતી પારસીઓની વંદના કરવી રહી.

હાલની બિરસા મુંડા સર્કલની બાજુમાં આવેલ જુની વિક્ટોરીયા હોસ્પિટલ સર જે.જે. પરિવારની સખાવત છે. જ્યાં હાલ આયુર્વેદ હોસ્પિટલ ચાલે છે ત્યાંની મુલાકાત લેતા પણ સખાવતી દાતા એવા સર્ જમશેદજી પરિવારનો કોઈ જ નામોલ્લેખ જોવા મળતો નથી. ત્યારે વર્તમાન તંત્ર, લોક પ્રતિનિધિઓ અને શાસકો પારસીઓની આ સખાવતને કાયમી રાખે તેવી લોકલાગણી છે.

(સહયોગ શ્રી કેરસી દેબુ)

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

1 Comments

  • Very good information
    Salute to Parsi community

Leave a Reply to Ami Mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *