લખપતિ દીદી સન્માન સમારોહઃ નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાંસી બોરસી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો

લખપતિ દીદી સન્માન સમારોહઃ નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાંસી બોરસી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો

વિદ્યાર્થીઓથી માંડીને એસટીના રોજીંદા મુસાફરોને તકલીફ નહી પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું:ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને તા. 8 માર્ચે લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે. સભા મંડપમાં વીજ પુરવઠો પુરો પાડવા માટે 12 કિમી લાંબી વીજ લાઈન પણ નાંખવામાં આવી છે. બેકઅપ માટે જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત લખપતિ દીદી સંમેલન કાર્યક્રમ સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન આપવાનો અવસર છે. વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સન્માન સમારોહ સફળતાપૂર્વક પાર પડે તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ રાત યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. કાર્યક્રમ સ્થળે વીજળીનો પુરવઠો નિરંતર મળતો રહે તે માટે વીજ કંપની દ્વારા 12 કિમી લાંબી વીજ લાઈન નાંખવામાં આવી છે. આ સિવાય 24 ટ્રાન્સફોર્મર અને 32 કનેકશન આપવામાં આવ્યા છે. 350 થી 400 જેટલા વીજ પોલ નાંખવામાં આવ્યા છે. વીજ કંપનીના 25 ટેકનિશીયનો અને 10 એન્જિનિયરો દિવસ રાત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમમાં સહભાગી થનાર 1 લાખ મહિલાઓ માટે 1350 જેટલી એસટી બસની પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક બસમાં 50 મુસાફરોની કેપેસીટી પ્રમાણે અંદાજે 67500 જેટલી મહિલાઓ સીધો બસનો ઉપયોગ કરશે. સભા સ્થળે આવવા જવા માટે આ સિવાય ખાનગી વાહનો પણ ઉપયોગમાં લેવાશે. વલસાડ એસટી વિભાગીય કચેરીના નિયામક એન.એસ.પટેલે જણાવ્યું કે, 3 જિલ્લામાં 54 એસટી બસ અલગ રાખી છે. જે મુખ્ય રૂટ અને એકસ્ટ્રા રૂટ પર દોડશે. જેથી રોજીંદા મુસાફરોને કોઈ મુશ્કેલી પડશે નહી. આ સિવાય હાલમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે તેને પણ ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની પણ એક પણ ટ્રીપને ખલેલ પહોંચાડયા વિના આ બસોનું આયોજન કર્યુ છે. વિદ્યાર્થીઓથી માંડીને રોજીંદા મુસાફરોને કોઈ તકલીફ પડશે નહી.

સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, આરોગ્ય, વોશરૂમ, ભોજન, પીવાનું પાણી સહિત સમગ્ર બાબતનું સૂક્ષ્મ આયોજન અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાર ડોમમાં 1 લાખ મહિલાઓ માટે 20 એલઈડી લગાવવામાં આવી

લખપતિ દીદી સન્માન સમારોહમાં 1 લાખ મહિલાઓ સભા સ્થળે ઉપસ્થિત રહેનાર હોય ચાર ડોમ બનાવવામાં આવ્યા છે. આ તમામ ડોમમાં 8 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈની 20 એલઈડી લગાવાવમાં આવી છે. જ્યારે સ્ટેજની સમારંત આજુ બાજુમાં મોટા કદની બે એલઈડી લગાવવામાં આવી છે. જેના પરથી મહિલાઓ કાર્યક્રમને એકદમ નજીકથી નિહાળી શકશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *