નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી

નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી

નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાળ પાડી છે.હીરા પોલિશમાં મળતા મથાળાના દર ઘટાડવામાં આવ્યો હોવાથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ફેક્ટરીમાં 700થી 800 જેટલા રત્નકલાકારો આજે હડતાળમાં જોડાયા છે, જેનાથી ફેક્ટરીના કામકાજ વિક્ષેપ પડ્યો હતો.

ફાઈલ ફોટોગ્રાફ

હીરાના ભાવમાં વધારો ન કરી શકતા

હીરાની ફેક્ટરીમાં હીરા પોલિશના ભાવ પહેલાં 8 રૂપિયા હતો,જે હાલ ઘટીને 6.6 રૂપિયા થયા છે. તેમજ તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા રાખવામાં આવ્યા છે.રત્નકલાકારોએ પોતાની માંગ અનુસાર હીરાના ભાવમાં વધારો ન કરી શકતા હોવાને કારણે હડતાળનો નિર્ણય લીધો હતો.આ ભાવ ઘટાડાને લઈને રત્નકલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જૂના ભાવ યથાવત રાખ્યા માંગ કરી રહ્યા છે, જે રત્નકલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે.

નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી

સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું હતું કે , “રફ હીરાના ભાવમાં ઉતાર-ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી આપી છે.”

હડતાળમાં જોડાયેલા રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે “વધતી મોંઘવારીમાં વર્તમાન હીરાના ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ ચીમકી પણ ઉચ્ચારી છે.

આ હડતાળના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્નકલાકારોના આંદોલનને લઈને હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રત્નકલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *