નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી

નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી

નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાળ પાડી છે.હીરા પોલિશમાં મળતા મથાળાના દર ઘટાડવામાં આવ્યો હોવાથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ફેક્ટરીમાં 700થી 800 જેટલા રત્નકલાકારો આજે હડતાળમાં જોડાયા છે, જેનાથી ફેક્ટરીના કામકાજ વિક્ષેપ પડ્યો હતો.

ફાઈલ ફોટોગ્રાફ

હીરાના ભાવમાં વધારો ન કરી શકતા

હીરાની ફેક્ટરીમાં હીરા પોલિશના ભાવ પહેલાં 8 રૂપિયા હતો,જે હાલ ઘટીને 6.6 રૂપિયા થયા છે. તેમજ તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા રાખવામાં આવ્યા છે.રત્નકલાકારોએ પોતાની માંગ અનુસાર હીરાના ભાવમાં વધારો ન કરી શકતા હોવાને કારણે હડતાળનો નિર્ણય લીધો હતો.આ ભાવ ઘટાડાને લઈને રત્નકલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જૂના ભાવ યથાવત રાખ્યા માંગ કરી રહ્યા છે, જે રત્નકલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે.

નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી

સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું હતું કે , “રફ હીરાના ભાવમાં ઉતાર-ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી આપી છે.”

હડતાળમાં જોડાયેલા રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે “વધતી મોંઘવારીમાં વર્તમાન હીરાના ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ ચીમકી પણ ઉચ્ચારી છે.

આ હડતાળના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્નકલાકારોના આંદોલનને લઈને હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રત્નકલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *