નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી

નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી

નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાળ પાડી છે.હીરા પોલિશમાં મળતા મથાળાના દર ઘટાડવામાં આવ્યો હોવાથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ફેક્ટરીમાં 700થી 800 જેટલા રત્નકલાકારો આજે હડતાળમાં જોડાયા છે, જેનાથી ફેક્ટરીના કામકાજ વિક્ષેપ પડ્યો હતો.

ફાઈલ ફોટોગ્રાફ

હીરાના ભાવમાં વધારો ન કરી શકતા

હીરાની ફેક્ટરીમાં હીરા પોલિશના ભાવ પહેલાં 8 રૂપિયા હતો,જે હાલ ઘટીને 6.6 રૂપિયા થયા છે. તેમજ તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા રાખવામાં આવ્યા છે.રત્નકલાકારોએ પોતાની માંગ અનુસાર હીરાના ભાવમાં વધારો ન કરી શકતા હોવાને કારણે હડતાળનો નિર્ણય લીધો હતો.આ ભાવ ઘટાડાને લઈને રત્નકલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જૂના ભાવ યથાવત રાખ્યા માંગ કરી રહ્યા છે, જે રત્નકલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે.

નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી

સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું હતું કે , “રફ હીરાના ભાવમાં ઉતાર-ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી આપી છે.”

હડતાળમાં જોડાયેલા રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે “વધતી મોંઘવારીમાં વર્તમાન હીરાના ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ ચીમકી પણ ઉચ્ચારી છે.

આ હડતાળના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્નકલાકારોના આંદોલનને લઈને હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રત્નકલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *