ગુજરાત રાજયમાં પોલીસમાં ફરજ બજાવતા ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી અપાઈ

ગુજરાત રાજયમાં પોલીસમાં ફરજ બજાવતા ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી અપાઈ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી, 15 મહિનામાં કુલ 7031 પોલીસ કર્મીઓને બઢતી અપાઈ

રાજ્યભરમાં બઢતી અને બદલીની મોસમ યથાવત જોવા મળી રહી છે. ગૃહ વિભાગે વધુ એકવાર 261 કર્મચારીઓને પ્રમોશન આપ્યું છે. રાજ્યમાં ASI તરીકે બજાવતા 261 જેટલા કર્મચારીઓને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ASIને પ્રમોશન સાથે બદલીના આદેશ આપ્યા છે. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

રાજયભરમાં અગાઉ થયેલ બઢતીઓ

15 મહિનામાં કુલ 7031 પોલીસ કર્મીઓને બઢતી અપાઈ હતી.વર્ષ 2024માં 6670 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી.ગુજરાત પોલીસ દ્વારા નોંધપાત્ર પ્રમોશન અને ટ્રાન્સફર જાહેર કરાયા છે. કુલ 15 મહિનામાં 7031 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી, જેમાં વર્ષ 2024માં 6670 કર્મચારીઓની બઢતી નોંધપાત્ર રહી છે.

261 ASIને PSI તરીકે બઢતી સાથે બદલી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ બેડામાં ફરજ બજતા 261 થી વધુ એ.એસ.આઈને પીએસ.આઈ તરીકે સાથે બદલી ના આદેશ આપ્યા છે. અત્રે જણાવીએ કે, લાંબા સમયથી પ્રમોશનની રાહમાં બેઠેલા પોલીસ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે

નવસારી જિલ્લામાં એ.એસ.આઈ તરીકે ફરજ બજતા ચાર પોલીસ કર્મચારીઓ એવા શ્વેતા બળદેવભાઈ પટેલ,ભાવેશ બીપીનચંદ્ર પટેલ,કૃણાલ મોહનલાલ સુવાગીયા તેમજ પ્રભુલાલ હિરાલાલ ઠુંગાને એ.એસ.આઈથી પીએસ.આઈ તરીકે પ્રમોશન અપાયા છે. તેમને બઢતી સાથે ટ્રાન્સફર પ્રક્રિયા અંતર્ગત શ્વેતા બી. પટેલને નવસારી થી રાજપીપલા, ભાવેશ બી. પટેલને નવસારી થી ડાંગ અને કૃણાલ એમ. સુવાગીયાને નવસારીથી વલસાડ તેમજ પ્રભુલાલ એચ ઠુંગાને નવસારી થી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *