નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતાં તમામ નાગરિકોનું ફરજીયાત આધાર બેઝડ ઈ-કેવાયસી કરવાનું થાય છે. આ ઈ-કેવાયસીની લાભાર્થી માય રેશન મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠાં ફેસ ઓથેન્ટીકેશન મારફતે કરી શકે છે. ઉપરાંત લાભાર્થી મામલતદાર કચેરીમાં થમ્બ ઈમ્પ્રેશન આપી, ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં વીસીઈ મારફતે, ગામ/શહેરની શાળાના શિક્ષકો, આચાર્ય, પોસ્ટ માસ્તર તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી શકાશે.

તા. ૧ મે, ૨૦૨૫ થી એનએફએસએ હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તથા રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે. જેથી નવસારી જિલ્લાના તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તા. ૩૦ મી એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સહિત) માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે, સંબંધિત મામલતદાર કચેરી તથા તમામ ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં રૂબરૂ આવી, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *