નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતાં તમામ નાગરિકોનું ફરજીયાત આધાર બેઝડ ઈ-કેવાયસી કરવાનું થાય છે. આ ઈ-કેવાયસીની લાભાર્થી માય રેશન મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠાં ફેસ ઓથેન્ટીકેશન મારફતે કરી શકે છે. ઉપરાંત લાભાર્થી મામલતદાર કચેરીમાં થમ્બ ઈમ્પ્રેશન આપી, ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં વીસીઈ મારફતે, ગામ/શહેરની શાળાના શિક્ષકો, આચાર્ય, પોસ્ટ માસ્તર તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી શકાશે.

તા. ૧ મે, ૨૦૨૫ થી એનએફએસએ હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તથા રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે. જેથી નવસારી જિલ્લાના તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તા. ૩૦ મી એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સહિત) માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે, સંબંધિત મામલતદાર કચેરી તથા તમામ ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં રૂબરૂ આવી, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *