નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતાં તમામ નાગરિકોનું ફરજીયાત આધાર બેઝડ ઈ-કેવાયસી કરવાનું થાય છે. આ ઈ-કેવાયસીની લાભાર્થી માય રેશન મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠાં ફેસ ઓથેન્ટીકેશન મારફતે કરી શકે છે. ઉપરાંત લાભાર્થી મામલતદાર કચેરીમાં થમ્બ ઈમ્પ્રેશન આપી, ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં વીસીઈ મારફતે, ગામ/શહેરની શાળાના શિક્ષકો, આચાર્ય, પોસ્ટ માસ્તર તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી શકાશે.

તા. ૧ મે, ૨૦૨૫ થી એનએફએસએ હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તથા રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે. જેથી નવસારી જિલ્લાના તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તા. ૩૦ મી એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સહિત) માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે, સંબંધિત મામલતદાર કચેરી તથા તમામ ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં રૂબરૂ આવી, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *