ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર: નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરાઈ

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર: નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરાઈ

રાજ્યમાં લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે. પરંતુ હવે જૂન માસ રાજ્યમાં 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ગુજરાતની 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિભાજન તેમજ પેટા ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે.

એસ. મુરલીકિષ્ના કમિશનર, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ

ગ્રામપંચાયતની આ ચૂંટણી માટે 22 જૂને( સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી) મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. 2 જૂને જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

રાજયમાં 8327 ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર અને પેટા ચૂંટણી થશે

રાજ્ય ચૂંટણી પંચે આજે જે 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે. તેમાં 4688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે 3638 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે. જેમાં 5115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે. જેના માટે 16,500 મતદાન મથકો ઉભા કરાશે જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સરપંચ પદનો ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે?

ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડની ગ્રામ પંચાયત હોય તો 15 હજારની મર્યાદા, 13 થી 22 વોર્ડ હોય તો 30 હજાર અને 23 વોર્ડથી વધુ હોય તો 45 હજારની મર્યાદામાં ખર્ચ કરી શકાશે. વોર્ડના સભ્યો માટે ખર્ચની કોઈ જોગવાઈ નથી.

OBC અનામતના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી હતી

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.

નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જૂન માસમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેરાત કરાઈ છે. નવસારી જિલ્લામાં 6 તાલુકામાં કુલ 366 ગ્રામ પંચાયતો આવેલી છે. જે માંથી સામાન્ય,મધ્યસત્ર,વિભાજન હોય તેવી 56 ગ્રામ પંચાયત ચૂંટણીઓ યોજાશે.નવસારી જિલ્લામાં 82 ગ્રામ પંચાયત ખાલી પડેલ જગ્યાઓ માટે પેટા ચૂંટણીઓ યોજાશે.નવસારી જિલ્લામાં કુલ 138 ગ્રામ પંચાયત સામાન્ય તથા પેટા ચૂંટણીઓ યોજાશે.ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *