ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર: નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરાઈ

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર: નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરાઈ

રાજ્યમાં લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે. પરંતુ હવે જૂન માસ રાજ્યમાં 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ગુજરાતની 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિભાજન તેમજ પેટા ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે.

એસ. મુરલીકિષ્ના કમિશનર, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ

ગ્રામપંચાયતની આ ચૂંટણી માટે 22 જૂને( સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી) મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. 2 જૂને જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

રાજયમાં 8327 ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર અને પેટા ચૂંટણી થશે

રાજ્ય ચૂંટણી પંચે આજે જે 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે. તેમાં 4688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે 3638 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે. જેમાં 5115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે. જેના માટે 16,500 મતદાન મથકો ઉભા કરાશે જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સરપંચ પદનો ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે?

ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડની ગ્રામ પંચાયત હોય તો 15 હજારની મર્યાદા, 13 થી 22 વોર્ડ હોય તો 30 હજાર અને 23 વોર્ડથી વધુ હોય તો 45 હજારની મર્યાદામાં ખર્ચ કરી શકાશે. વોર્ડના સભ્યો માટે ખર્ચની કોઈ જોગવાઈ નથી.

OBC અનામતના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી હતી

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.

નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જૂન માસમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેરાત કરાઈ છે. નવસારી જિલ્લામાં 6 તાલુકામાં કુલ 366 ગ્રામ પંચાયતો આવેલી છે. જે માંથી સામાન્ય,મધ્યસત્ર,વિભાજન હોય તેવી 56 ગ્રામ પંચાયત ચૂંટણીઓ યોજાશે.નવસારી જિલ્લામાં 82 ગ્રામ પંચાયત ખાલી પડેલ જગ્યાઓ માટે પેટા ચૂંટણીઓ યોજાશે.નવસારી જિલ્લામાં કુલ 138 ગ્રામ પંચાયત સામાન્ય તથા પેટા ચૂંટણીઓ યોજાશે.ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *