નવસારી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનપ્રસંગો પર આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

નવસારી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનપ્રસંગો પર આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

દેશના લોકલાડીલા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમો અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન ના જીવનપ્રસંગો તથા દેશસેવામાં આપેલા અસાધારણ યોગદાનને કેન્દ્રસ્થાને રાખીને વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન નવસારીના સ્ટેશન રોડ સ્થિત ગિરિરાજ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય રીતે યોજાયું હતું.

આ પ્રસંગે ગુજરાત ભાજપની મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ તેમજ જિલ્લા ભાજપના આગેવાનો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્ર પ્રદર્શન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રારંભિક જીવનથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીના પ્રેરણાદાયી પ્રવાસ, સેવાકાર્યો, રાષ્ટ્રહિત માટે લીધેલા નિર્ણયો તથા ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનારા પ્રયત્નોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત આગેવાનો દ્વારા આ ચિત્ર પ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જીવનમાં ત્યાગ, પરિશ્રમ અને સમર્પણના મૂલ્યો દ્વારા દેશને નવી દિશા આપી છે. કાર્યકર્તાઓ અને યુવા પેઢી માટે તેમનું જીવન એક જીવંત પ્રેરણાસ્ત્રોત છે.

આ ચિત્ર પ્રદર્શન નવસારીના નાગરિકો માટે બે દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી વધુમાં વધુ લોકો વડાપ્રધાન ના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને નિહાળી શકે છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *